________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર
ક
સમાધાન- જ્ઞાતિના બંધારણોમાં અને ધર્મના બંધારણોને પરસ્પર મેળ છે પણ તે કેટલીક બાબતમાં
છે અને કેટલીક બાબતમાં નથી, અભક્ષ્ય અને અપેય જેવી વસ્તુઓ માટે એ બંનેને મેળ ખરો પરંતુ તેમાં એ યાદ રાખવાની જરૂર છે, અને એક વસ્તુ ન ભૂલાવી જોઈએ તે વસ્તુ એ છે કે જ્ઞાતિના બંધારણો પહેલાં અને ધર્મના બંધારણો તેને અનુસરતાજ એમ નથી પરંતુ ધર્મના બંધારણો પહેલાં હોઇ તેને અનુસરતાજ બંધારણો જ્ઞાતિએ ઠરાવેલા
છે અને તેવાં જેટલા બંધારણો છે તેમાં બંનેને પુરો મેળ છે. પ્રશ્ન પ૬૩- જૈનધર્મને માનનારો પછી તે ગમે તે જ્ઞાતિનો છે (દસો, વિશો, પાંચો, ભાવ સાર,
નીમો, લાડવા, આદિ) તે એવા માણસ જૈનધર્મની ક્રિયાઓમાં ભેદભાવ વિના ભાગ
લેવાને માટે હકદાર ખરો કે નહિ? સમાધાન- આત્મભાવમાં તો પૂર્ણ હકદાર છે; પરંતુ વ્યવહારોને એ ધ્યાનમાં લેવા તે જોઈએ કારણ
કે કેટલાક વ્યવહારો પણ ધર્મની ધારણાથી ઘડાયા છે. પ્રશ્ન પ૬૩- શું મગધ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષાનું નામ માગધી છે એ વાત ખરી છે? સમાધાન- ના માથાનાં રૂ માનથી માથા: ? મઠ્ઠા નં ૩૫ાદઃ
અર્થાત્ સૂર્યોદય વખતે રાજા મહારાજાઓ પાસે મંગલ સૂચક શબ્દ બોલનારા પેઢી પરંપરાના ઇતિહાસને જાણનારાઓની ભાષા તેનું નામ માગધી (અઢારદેશ મિશ્રિત
ભાષા) છે. પ્રશ્ન ૫૬૪- સત્યવૃત ને બદલે મૃષાવાદ વિરમણવૃત કેમ રાખ્યું? સમાધાન- સત્ય બોલવું એ વ્રત જગતમાં કોઈ પાળી શકેજ નહિ સાચી વાત બોલી નાખવી તે
સામાન્યતઃ અશકય છે. સમવસરણસ્થ જીવના સર્વભાવ પ્રભુ જાણે છે છતાં તે બધા બોલી નાખે નહિ. આથી, જૂઠું બોલવાથી વિરમવું એ વ્રત રાખ્યું અર્થાત જુઠું બોલવું
નહિ . પ્રશ્ન પ૬૫- એક બાઈની પૂર્વાવસ્થા વ્યભિચારમાં ગયેલી છે. પણ ધર્મ પામ્યા પછી ગુરુ પાસે
આલોચના લે છે, ત્યારબાદ ખોરાકી પોશાક માટે સસરા પર ફરિયાદ માંડે છે એ ભરણ પોષણ આપવાની બાબતમાંથી છટકી જવા માટે આલોચના દેનાર ગુરુને સાક્ષીમાં લાવે
તો ગુરુ સાક્ષીમાં શું બોલે ? સમાધાન- બાઇની પૂર્વચર્યાના પુર માહિતગાર છતાં ગુરુ કહી શકે કે મારા ધર્મના હિસાબે હું તે
સંબંધમાં કહી શકતો નથી. અર્થાત્ મૃષાવાદ વિરસ્મણાવૃત હોવાથી જુઠું ન બોલવું પણ સાચું બોલી નાંખવું તે નથી, એ પણ આ દ્રષ્ટાંતથી સાબીત થાય છે.