________________
તા.૨-૧૧-૩૩
શ્રી સિદ્ધયક પ્રશ્ન પપપ- કેવળ દાન, શીલ, તપ, ભાવમાં ધર્મ માનવામાં શી હરકત આવે છે ? સમાધાન- જો ભાવમાં સુદેવાદિને ભાવ ધર્મ અને દાનાદિ ધર્મ લે તો અડચણ નથી.બાકી વાંધો છે
તે બીના પ્રવૃત્તિ રૂપધર્મ અને પરિણામ ધર્મની વ્યાખ્યામાં સ્ફટ વારંવાર કરેલ છે. પ્રશ્ન પપ- જગતમાં અનેક ધર્મોનું અસ્તિત્વ છે. દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મ સંસ્થાપકોને
અથવા ધર્મ પ્રવર્તકોને ઈશ્વરાવતાર-ઈશ્વરના દુત કિંવા ભગવાન માને છે તો પછી
સત્યની દ્રષ્ટિએ એકની માન્યતા સાચી અને બીજાની જુઠી એ કેવી રીતે માની શકાય. સમાધાન- પિત્તળને કોઈ સુવર્ણ કહી દે તો કોઈ રોકી શકતું નથી, તેવીજ રીતે અધર્મને પણ ધર્મ
કહી શકે છે, પણ સુવર્ણ છે કે પિત્તળ તેને માટે જેમ કશ-તાપ-છેદ સાધન રૂપ છે તેમ
શાસ્ત્રકારો એ ધર્મ છે કે અધર્મ તે તપાસવા માટે કશ-તાપ-છેદ રૂપ સાધન રાખ્યા છે. પ્રશ્ન પ૫૭- પ્રતિક્રમણ સામાયિક લેવાનું, સાત લાખ; વંદિતા સૂત્ર, શાંતિ વગેરેમાં જે ઘીનો ચઢાવો
બોલાય છે તેના દ્રવ્યથી (કટાસણા, ચરવળા, સંથારીયા, મૂહપત્તિ) આદિ પૌષધ,
સામાયિક ઉપકરણો લાવી શકાય કે કેમ ? સમાધાન- ન લાવી શકાય, અર્થાતુ, જ્ઞાનના સાધનોમાં તેનો ઉપયોગ થઈ શકે. પ્રશ્ન ૫૫૮-પ્રભુ પૂજા કરતી વખતે ભગવાનની પ્રતિમાના પૂજન માટે ફુલો ન મળી શકે તો લવંગ
ચઢાવી શકાય કે નહિ? સમાધાન- કુલ મેળવવા માટે વિશેષ ઉદ્યમ કરવો જોઇએ. પુરેપુરો શ્રમ લઈ. કરવી જોઈએ
તેટલી સઘળી મહેનત લઇએ અને આપણા પ્રમાદનું જરા પણ કારણ ન રાખીએ તે છતાં જો ફૂલ નહિજ મળી શકતા હોય તો પછી લવંગ ચઢાવી શકાય એનો એ અર્થ
નથી કે ફૂલ શોધવાને માટે આંખ આડા કાન કરીને લવંગ ચઢાવે જવા ! પ્રશ્ન ૫૫૯- કોઈ વ્યક્તિની જ્ઞાતિમાં અથવા કુલપરંપરામાં પુનર્લગ્નની પ્રથા છે અને તે છતાં તે
વ્યક્તિ જૈન છે. માત્ર પૂર્વપરંપરાએજ તે વ્યક્તિની જ્ઞાતિમાં પુનર્લગ્નની પ્રથા છે તો તે
વ્યક્તિ (પંજો) શ્રીજીનમંદિરમાં આવીને પૂજા, આંગી, સ્નાત્ર, આદિ કરી શકે કે નહિ? સમાધાન- પૂજા, આંગી, સ્નાત્ર આદિ કરી શકાય. પ્રશ્ન પ૬૦- ઉપર જણાવેલી વ્યક્તિ સારી સ્થિતિની હોય એટલે કે તેની પાસે પૈસો, ટકો, ધન
સમ્પતિ ભરપુર હોય અને તે પ્રભુજીને મુકટ કુંડલ આદિ ભેટ ધરવા માંગતો હોય તો
એ ભેટ ધરી શકે ખરો કે નહિ? સમાધાન- ભેટ ધરી શકે છે. પ્રશ્ન પ૬૧- ઉપર જણાવેલો માણસ જે કાંઈ ભેટ વગેરે ધરે તે સંઘના આગેવાનોએ સ્વીકારવી ખરી
કે નહિ ? સમાધાન- ઉપર પ્રમાણે જણાવેલી ભેટો સ્વીકારવી ઘટિત છે અને તે સ્વીકારવામાં કોઈપણ જાતનો
દોષ લાગતો નથી. પ્રશ્ન પ૨- જ્ઞાતિ બંધારણો અને ધાર્મિક બંધારણો એ બંનેમાં મેળ ખરો કે નહિ?