SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર ૬૪. સમાધાન- તેનો અર્થ એ છે કે તે ગુણઠાણે રહેલા અશુદ્ધ વ્યવહારવાળા જીવો માટે નર્કને યોગ્ય સામગ્રીજ નથી, અને તેથી તે નર્કે ન જાય એ સ્વાભાવિક છે. પ્રશ્ન ૫૪૯- ચૌદમે ગુણસ્થાનકે સાતમી નર્કના કર્મ હોય ખરા કે ? સમાધાન- ના, ચૌદમે ગુણસ્થાનકે સાતમી નર્કના કર્મ હોતા નથી. જો એ ગુણસ્થાનકે સારની નર્કના કર્મોનજ હોય તો પછી એ કર્મો કર્મની કઈ શ્રેણીમાં આવે તેનો પ્રશ્ન જ રહેવા પામતો નથી ! પ્રશ્ન ૫૫૦- પુણ્યકર્મો નિકાચિત હોય કે નહિ ! સમાધાન- હોય છે. પ્રશ્ન પપ૧- ભોગાવલી કર્મ એટલે શું? સમાધાન- મોહનીય કર્મ અને ભોગાવલી બાકી એટલે મોહનીય કર્મ બાકી સમજવું. પ્રશ્ન પેપર- એક મનુષ્ય છે તે લૌકીક ફળની ઈચ્છા રાખીને લૌકીક ફળો પામવા માટેજ સુદેવની આરાધના કરે છે તો તેની એ આરાધનામાં મિથ્યાત્વ રહેલું છે એમ માની ગણી શકાય કે નહિ ! સમાધાન- કોઇ મનુષ્ય લૌકીક ફળની ઈચ્છા રાખીને લૌકીક ફળો પામવા માટેજ સુદેવની આરાધના કરતો હોય તો તેને આપણે મિથ્યાત્વી કહી શકતા નથી ! જો તેને તત્વની પ્રતિતિ હોય અથવા તે સુદેવોને માનનારો હોય તો લૌકીક ફળની ઇચ્છાપૂર્વકની તેની આરાધના એ દ્રવ્યક્રિયા ગણી શકાય, પણ મિથ્યાત્વ કહી શકાય નહિ. પ્રશ્ન પપ૩- જ્ઞાન થયા પછી રાગદ્વેષ થાય તો એ જ્ઞાન તે જ્ઞાનજ નથી. વાસ્તવિક જ્ઞાન થાય તો એ જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઈએ કે વર્તન સુધરે એનો અર્થ શું ? સમાધાન- એનો અર્થ સમજવો બહુજ સરળ છે જ્ઞાન એ અહિંસા એવી છે કે ત્યાં રાગ અને દ્વેષ સંભવતાજ નથી. જેમ કોઈ માણસ પોતે હાથ વડે હિંસા કરી રહ્યા હોય અને મોઢે એમ કહો કે હું અને ધર્મને પાળનારો છું તો તેમની અહિંસાવૃત્તિ તેનું પ્રત્યક્ષ કાર્ય કબુલ રાખી શકે નહિ, તેજ પ્રમાણે રાગદ્વેષ એ પ્રત્યક્ષ વસ્તુઓ જ્યાં હોય તેને જ્ઞાન કહી શકાય નહિ. પાણી પડવાથી તેનું સ્વભાવસિદ્ધ એ પરિણામ આવવું જ જોઇએ કે વૃક્ષ પ્રફુલ્લિત થાય તેજ પ્રમાણે જ્ઞાનનું એ પરિણામ પણ થવાની જરૂર છે કે તેથી વર્તન સુધરે સૂર્ય ઉગે અને પ્રકાશ ન પથરાય એ શકય નથી તેજ પ્રમાણે જ્ઞાન થાય અને કાર્યો ન સુધરે એ પણ શકય નથી. પ્રશ્ન પ૫૪- અશક્તિ અથવા આશક્તિને લીધે જનાજ્ઞા પ્રમાણેનું વર્તન ન થાય તો ભલે, પણ તેનાથી વિરૂદ્ધનું વર્તન તો નજ થવું જોઇએ એમ આપશ્રીએ જણાવ્યું છે તો પછી એ જણાવવાની જરૂર છે કે શ્રાવકને માટે આજ્ઞા વિરૂદ્ધની કઈ કઈ વસ્તુઓ છે? અને તેનું ટુંકું સ્વરૂપ શું? સમાધાન- આજ્ઞાનું આરાધક વિરાધકપણું જિનેશ્વર મહારાજે કહેલાં તત્ત્વોની શ્રદ્ધાનો સદભાવ અને તેના અભાવને અંગે છે અને તેથીજ ૧૭ સત્તરમાં પ્રવર્તેલો હોય છે તો પણ સમ્યગ્દ્રષ્ટિ આરાધક ગણાય છે અને જીવ હિંસા વિગેરે સત્તરમાં સ્થાનમાં જ પ્રર્વત્યો છતાં મિથ્યાદ્રષ્ટિ હોય તો વિરાધક ગણાય છે અને નિન્દવો વિગેરે વ્યવહારથી પાંચ મહા વૃત શુદ્ધ સાધુપણું પાળનાર તે પણ વિરાધક ગણાય છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy