________________
૪૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨-૧૧-૩૩
પ્રશ્નફાર થતુર્વિધ સંઘ.
માધાનછાષ્ટ: કa®ાત્ર વાર્દિગત આાગમોલ્લાક ત્રિીસાગરાનંદસૂરીશ્વરજી મ.
THEO
પ્રશ્ન ૫૪૫- સિદ્ધચક્રના ૨૧મા અકમાં આગળના વધારાના પૃષ્ટોમાં પર્યુષણા સંબંધીની જે ચર્ચા છે
તેમાં લખવામાં આવ્યું છે કે અસ્વાધ્યાય હોવાથી નહિ વંચાય, અને પછી લખવામાં
આવ્યું છે કે અસ્વાધ્યાયનો બાધ ગણવામાં આવ્યો નથી. તો એમાં સાચું શું સમજવું? સમાધાન- સર્વ કાલિક સૂત્રોના સ્વાધ્યાયમાં ગ્રહણાદિકની અસ્વાધ્યાય કરેલી હોવાથી કલ્પસૂત્ર
પણ કાલિક હોવાથી તેને અસ્વાધ્યાયમાં વર્જવું જોઇએ અને તેથી જ્યારે જ્યારે ગ્રહણ વિગેરે વિગેરે હોય ત્યારે બીજા કાલિકોની પેઠે કલ્પસૂત્રને પણ અસ્વાધ્યાયમાં વાંચવાનો બાધ આવે છે અને તેથી પણ પર્યુષણામાં અવશ્ય વાંચવાનું આવશ્યક ગણી તે વખતે
કલ્પસૂત્રના વાંચનમાં નવજી શકાય તો બાધ ગણ્યો નથી. પ્રશ્ન પ૪૬- સિદ્ધચક્ર પાક્ષિકના પહેલા વર્ષના અંક ૨૧માંના પાના ૪૭૮ ઉપર એવો ઉલ્લેખ
જોવામાં આવે છે કે પહેલાં ગુણઠાણા કરતાં ચૌદમે ગુણસ્થાનકે અસંખ્યાતગણા કર્મો
ખપાવવાના છે. તો એનો અર્થ શો ? શું ચૌદમે ગુણ ઠાણે કર્મો વધી જાય છે ? સમાધાન- ચૌદમે ગુણ સ્થાને કર્મો વધ્યાં નહી પહેલાં ગુણસ્થાનક કરતા ચૌદમાં ગુણસ્થાનકવાળો
અસંખ્યાત ગુણા કર્મો તોડે છે એ અપેક્ષા એ તે લખાણ છે. પ્રશ્ન ૫૪૭- એજ અંકના પાના ૪૯૨માં એવો ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે કે કલિકાલ સર્વજ્ઞા
ભગવાન હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી મહારાજ અને ગુણસ્થાનક ક્રમારોહણકાર નિગોદમાં મિથ્યાત્વ માને છે એટલે એને ગુણસ્થાનક ગણી શકાય કે નહિ ! અને જો ગુણસ્થાનક
ન ગણી શકાય તો એ પુણસ્થાનકની બહાર ગણાવા જોઇએ ? સમાધાન- ભદ્રકપણાના યોગેજ મિથ્યાત્વને ગુણસ્થાન માનનારા નિગોદ આદિમાં મિથ્યાત્વ માનશે
પણ ગુણ સ્થાનક નહિ માને. પ્રશ્ન ૫૪૮- એજ અંકના ૪૮૨માં પાના ઉપર એવું લખેલું જોવામાં આવે છે કે “પહેલે ગુણઠાણે
અશુદ્ધ વ્યવહાર વાળો નર્કમાં નહિ જાય” એનો અર્થ શું !