________________
૬ શ્રી સિદ્ધચક્ર. ૬
(પાક્ષિક)
-::: ઉદેશ ::વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાપ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वगं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્વારક.”
પ્રથમ વર્ષ અંક ૨૪ મો
મુંબઈ, તા. ૧૯-૯-૩૩, મંગળવાર.
ભાદરવા વદ ૦))
વિર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯
.
અમારું પુરું થતું વર્ષ.
sન જનતાને જડવાદના ઝેરી પવનમાં ખેંચી જવા, તેને સ્વધર્મથી ભ્રષ્ટ કરવા અને
પશ્ચિમના રંગે રંગી નાંખવાના અનેક પ્રયત્નો થતા હતા. એ પ્રયત્નોને સફળતા મળે તે માટે પદ્ધતિસરનાં કાર્યો થઈ રહ્યા હતા. સુધારકો સંગઠિત રીતે ભાષણ લેખન અને વર્તનથી જૈન શાસનના આત્માનો નાશ કરવાનો સંકલ્પ કરી રહ્યા હતા. એ સમયે જૈન જનતાના સંસ્કૃતિ રક્ષકવર્ગને માટે એક વસ્તુની ખોટ અમોને લાંબો
સમય થયા જણાયા કરતી હતી.
જૈન ધર્મ એ મહાસાગર જેવો વિશાળ છે. મહાસાગરનું મંથન કરીને તેમાંથી રત્નો મેળવવા એ કાંઈ પ્રત્યેક મનુષ્યોને માટે શક્ય નથી, તે જ પ્રમાણે જૈન શાસનના સિદ્ધાંતો સમજવા અને તેમાં ઉડતી શંકાઓનું સમાધાન કરવું એ પણ દરેક આત્માને માટે શક્ય નથી. આથી આવા એક પાક્ષિકની આવશ્યકતા સિદ્ધ થવા લાગી હતી કે જેમાં જૈનધર્મના સિદ્ધાંતોને સમજાવતા લેખો હોય અને જૈન સમાજના કોઇપણ અંગને થયેલી શાસન-રહસ્ય પરત્વેની શંકાનો પણ જેમાં અદભુત ઉકેલ હોય!