SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા.૨૨-૭-૩૩ ૬૨૮ જેમ હીરાને પહેલ પાડનાર શરાણી એ જ ઉત્તમ કારીગર છે, તે જ પ્રમાણે આ સંસારને વિષે આત્માને પહેલ પાડનારા અરિહંત સિવાય બીજા કોઇ કારીગર જ નથી. ૪૭૨ ૬૨૯ ૬૩૦ ૬૩૧ ૬૩૨ ૬૩૩ વચનની કિંમત વક્તાની કિંમત ઉપર જ આધાર રાખે છે. . સિદ્ધ એ અરિહંતના વચનનું જ વાક્ય છે. જીનેશ્વર ભગવાનના વચનને આધારે જ જૈન ધર્મોપદેશકોનું વચન પ્રમાણ ગણાય છે, અન્યથા નહિ. ૬૩૭ શાસ્ત્ર પણ તીર્થંકર ભગવાનના વચનને આધારે જ બંધાયેલું છે. જગત ઉપર મોટામાં મોટો ઉપકાર તો ફક્ત તીર્થંકરોનો જ છે કે જેમની વાણી દ્વારાએ આખુંએ વિશ્વ સદબોધ પામે છે. ૬૩૪ જૈનશાસનમાં તો ફક્ત જીનેશ્વરના વચનાનુસાર વર્તવાવાળાને જ સ્થાન છે, બીજાને નહિ. ૬૩૫ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ; એ ત્રણે પણ તીર્થંકરોના વચન પર જ બંધાયેલા છે. ૬૩૬ વચનની પ્રમાણિકતા તો જીનેશ્વર ઉપર જ અવલંબેલી છે. જેઓ આચાર્યાદિક છે; તેઓ અરિહંત, સિદ્ધ વગેરેના સ્વરૂપને તથા ઉપકારને દર્શાવનારા ખરા, લોકોને તેઓના ભક્તિભાવમાં પ્રેરનારા પણ ખરા, પણ તેથી તેઓ (આચાર્યાદિક) અરિહંત કે સિદ્ધથી અધિક તો ગણાય જ નહિ, કારણ કે અરિહંતાદિક તેઓને આરાધ્ય છે. સુધરનાર કરતાં સુધારનારની કિંમત વધારે ગણાવી જ જોઇએ. *
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy