SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ શ્રી સિદ્ધચક્ર તા.૨૨-૭-૩૩ , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , श्री शंखेश्वरपार्श्वनाथाय नमः સાગર સમાધાન સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજજી. (ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલો આર્યભાવના વિનાશક દીક્ષા સંહારક કાયદો ધારાસભામાં અને જનતામાં ચર્ચાઈ રહેલો હતો. એવા કઠિન સમયમાં પૂ. આચાર્ય સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજા સાહેબે દીક્ષા સંબંધીનો જૈનાજૈન જનતાનો ભ્રમ ભાંગવાના ઉદેશથી દીક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સબધાના પ્રશ્નો જાહેર રીતે પૂછાયા હતા અને આચાર્યદેવે પોતાની અમોઘ સુધાર્ષિણી શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરો સાંભળ્યા પછી કેટલાય કટ્ટરમાં કટ્ટર દીક્ષા વિરોધીઓ પણ પોતાનો દીક્ષા વિરોધ મૂકી દઈ આચાર્યદેવશ્રીના વિચારો જોડે સહમત થયા હતા એ પ્રશ્નોત્તરો અત્યંત ઉપકારક હોઈ તે અત્રે આપવામાં આવે છે અને તેનું પૂરેપૂરું મનન કરવાની મંત્રી વાંચકોને વિનંતી કરે છે.) તંત્રીઃસિદ્ધચક્ર. પ્રશ્ન ૪પ૭- થોડા દિવસ પૂર્વે વડોદરા શહેરમાં જાહેર હસ્તપત્રિકાઓ વહેંચવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બીજા જૈન આચાર્યો અને આપની વચ્ચે દીક્ષાની વયના સંબંધમાં ભારેમાં ભારે મતભેદ છે, તો પછી એ સ્થિતિમાં આપને સાચા ગણવા કે બીજાને ? સમાધાન- તમારી શંકાનો ઉત્તર એ છે કે આ હેન્ડ બીલો જે તમો વડોદરામાં વહેંચાયેલા જણાવો છો તે હેંડબીલો તો જૈન સાધુઓ અને જૈનોને માંહોમાંહે લડાવી મારી તેનો જગતને તમાશો બતાવવાનો એક પ્રયત્ન છે. કોઇપણ આચાર્યે એવું જાહેર કર્યું હોય તો તે મને બતાવો કે - “કોઈપણ સંજોગોમાં, કોઈપણ સ્થળે, કોઈ પણ કારણ છતાં આઠ વર્ષથી ઓછી વયવાળા બાળકને દીક્ષા ન જ આપી શકાય.” અર્થાત્ જૈનાચાર્યોમાં માંહોમાંહે મતભેદ છે એ વાત અંદર અંદર મતભેદ પડાવવાની બાજી છે. પંચાગીશાસ્ત્રો બધાના એક જ છે. માટે આવી ચાલબાજીનો કોઈએ ભોગ થવું નહિ. બન્ને પક્ષ જન્માષ્ટમ અને ગર્ભાષ્ટમ એ બંને વાતને કબૂલ કરે છે. તેમજ અષ્ટ અને અષ્ટમનો ભેદ સમજે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy