________________
૪૪૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
૫૫૪
જીવનના કયા વિભાગમાં આત્માનું અવલોકન કરવાના છો ?
૫૫૫
જ્યાં તરનારા ડૂબે ત્યાં તે તરનારને પલ્લે પડનારાઓનું શું થાય?
પપ૬ અભાગિણી આંખના અવગુણમાં આત્મા આગ્રહી બન્યો છે અને તેથી જ આત્મા નિર્મળ છતાં
એબવાળો છે.
૫૫૭ વિવેકને વેચી ખાનારા મનુષ્યો જાનવરથી પણ હલકી કોટીના છે. ૫૫૮ સાનુકૂળ સંજોગ સામગ્રી હોવા છતાં અભાગી આત્મા બનશીબ રહે છે. ૫૫૯. બાળ વર્ગની અવગણના કરનારાને આજે પ્રોફેસરો જોઈએ છીએ ! ખરેખર ! મૂળ વગર ફળ
કુલની પ્રાપ્તિ જ નથી તો પછી બાળ વર્ગ વગર ઊંચી કક્ષાએ પહોંચવાવાળા પ્રોફેસરો મળે
ક્યાંથી ! ! ! પ૬૦ આત્માને ઓળખવાથી ફાયદો શો ? એ પ્રશ્ન કરનારના જવાબમાં એટલું પ્રશ્ન રૂપે કહેવું બસ
છે કે હીરાને હીરા તરીકે અને કાંટાને કાંટા તરીકે ઓળખવાથી ફાયદો શો ? ૫૬ ૧ હીરાને હીરા તરીકે માનવાથી હીરાનું તેજ વધી જતું નથી, તેમ તે હીરાનું તેજ ઘટી જતું નથી.
હીરાને હીરા તરીકે માનનારો મહાન લાભ પામી શકે છે તે આજની ડાહી દુનિયાની જાણ
બહાર નથી. પ૬ ૨ જાણવાથી સારી યા નરસી પ્રવૃત્તિ તરફ અનુક્રમે ઉપાદેયતા અને હેયતા સહેજે સ્કુરે છે. પ૬૩ જીવે જીવને જાણ્યો નથી, તેથી જ ચારગતિની રખડપટ્ટી ચાલુ છે. પ૬૪ આંધળો આંગણું દેખી શકતો નથી તેમ અજ્ઞાની આત્મા આત્મભાવને અવલોકી શકતો નથી. પ૬૫ હું ભટકું છું, મારું ભટકવું દૂર થાય ઈત્યાદિ વિચારો ભાગ્યશાળીને આવે છે. પ૬ ૬ સંગ્રહણીના અસાધારણ રોગમાં સપડાયેલ સગીરને રોગની ભયંકરતા સમજાતી નથી. પ૬૭ મને સંગ્રહણી થઈ છે એ શબ્દ જેમ અણસમજુ સગીર બોલી શકે છે, તેવી રીતે અમે સંસારી
છીએ એવું આજે અણસમજુઓ બોલે છે. ૫૬૮ સંગ્રહણી શબ્દ બોલતાં અણસમજા સગીરના હૃદયમાં ચીરાડો પડતી નથી, તેવી રીતે
અણસમજુ માણસના હૃદયમાં સંસારી શબ્દ બોલતાં પણ ચીરાડો પડતી નથી.