SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ •••••••••• ૩૯૪ શ્રી સિદ્ધચક્ર તા. ૨૨-૬-૩૩. પ્રશ્ન - અભિનવનને પુણ્યાનુબંધી પુણ્ય ખરું કે નહિ? સમાધાન - મા, એક માંગણ આવ્યો છે. તેને દેવું જોઈએ તેથી આપ્યું છે. બીજી કંઈ ચિંતા નથી. પ્રશ્ન : ભગવાન ઉત્કૃષ્ટ ભાવનાવાળાને ઘરે કેમ ન ગયા ? સમાધન ત્રિકાળદર્શીએ તેમાં લાભ દેખ્યો હશે એમ માની લો ! કારણ ભગવાને જોયું હશે, માનો કે જીરણ શેઠની ભાવના તે નિમિત્તે કદાચ એમ વધાવાની હશે. ખરેખર ! આવા પ્રશ્નોની પરંપરા પ્રશ્નકારોની શ્રદ્ધાનું ઉંડાણ અવલોકાય છે. પ્રશ્ન - નવિન શેઠે સામાન્ય સાધુને વહોરાવ્યું હોત તો શું ફળ થાત? સમાધાન - ઉચિતતા, જશ કીર્તિ વિગેરે વિગેરે. પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્તિમાં પરિણામને સંબંધ છે. પ્રશ્ન - અનુકંપાવી દેનારને લાભ ખરો કે નહિ? તેમાં તો ફેર રહે છે કારણ તેમાં તો અનુકંપાના પરિણામ છે. ચાલો મૂળ વાતમાં કે જીરણ શેઠે કઈ નિસરણી માંડેલી કે જેના પરિણામની પ્રકૃષ્ટ પ બારમો દેવલોક!!! દાન દેવાવાળો સહુ કરે છે શાનું? ઘરબાર કુટુંબ કબીલા - છટકી જાય તે માટે આપું છું. એવી ભાવના આવે છે? છુટ્ટી જાય એ સારું છે એવી ભાવના પણ જયાં નથી ત્યાં પછી આપું તો છુઠ્ઠી જાય માટે આપ્યા જ કરો એ ભાવના આવે શી રીતે??? એવા વિચાર વગર આત્મા પામી શકવાનો નથી. નિસરણી તમે કઈ ગોઠવી છે. દીધું હશે તો પામશું અર્થાત્ લેવાની નિસરણી એટલે અસંયમની નિસરણીને છાંડો અને સંયમની નિસરણી માંડો. અસંયમની નિસરણી પર ચડાય નહિ પણ જરૂર પડવાનું થાય. ઉપાસના કરો : ભગવાનને શા માટે પૂજો છો ? છત્ર કુંડલ અને રાજદ્ધિ હતી માટે પૂજો છો? સભામાંથી નહિ !! નહિ ! તેઓ જો રાજગદ્ધિવાળા હોય તો આજે જ અમે પૂજવા તૈયાર નથી. ફક્ત મૂર્તિ એટલે પૂતળાં. પૂતળાં શા માટે કહું છું ? દ્રવ્ય પર જરા વિચાર સરણીમાં અનાદર લાવવા માટે. શ્રી શાન્નિનાથ શ્રી કુથનાથ શ્રી અરનાથ છ ખંડની માલિકી ધરાવતા હોય એક લાખ બાણ હજાર રાણી આદિ સમગ્ર રિદ્ધિયુક્ત હોય તો અમે પૂજવા તૈયાર નથી. ફક્ત સંસારનો પાર કેમ પામવો તેનો ઉપાય બતાવ્યો, તેઓ પાર ઊતર્યા છે અને કે જગતમાં તેમની પાર પામવા સંબંધના ઉપદેશની ઊંડી અસરો આજે પણ સ્વરાયમાન છે તેથી તો તે દેવાધિ દેવોને માનીએ છીએ, વંદન પૂજન કરીએ છીએ, એમના પ્રતિબિંબને ત્યાગની મૂર્તિ તરીકે પૂજીએ છીએ, પથ્થરના કકડામાંથી મૂર્તિ શલાટ પાસે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy