SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી સિદ્ધચક્ર તા. ૯-૫-૩૩ જમાનાવાદીઓની બુલંદ બાંગ! “બસ ! જમાનો ઓળખો! હવે જાગજાની વાતો નહિ ચાલે ! જમાનો આગળ વધે છે! જમાનાની સાથે કૂચ નહિ કરનારાઓ કચરાઈ જશે ! આખું જગત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે ત્યારે ધર્મની વાત વાતોથી, એ જરીપુરાણ, ગપગોળાઓથી ભરેલા અને જેમાં કેવળ વૈરાગ્યનીજ વાયડી વાતો ભરી છે તેવા શાસ્ત્રના થોથાં પોથાં પર આધાર રાખી આંધળાં, લૂલા, પાંગળા, હુંઠા બનવું એ શું ઉચિત છે ? હજારો વર્ષ પહેલાંના રચાયેલાં શાસ્ત્રો આ જમાનામાં શી રીતે બંધ બેસતા થઈ શકે ? અંધશ્રદ્ધાની પણ હદ હોય છે ! આવી અંધશ્રદ્ધા ? તેને તિલાંજલિ આપો. આ જમાનો તો બુદ્ધિવાદનો છે, અંતરનાદનો છે? જે વાત બુદ્ધિમાં ન બેસ, જે વાત અંતરમાં ન પેસે તે માનવાની મૂર્ખતા આ વીસમી સદીના જાગતી જ્યોતના જમાનામાં ક્ષણભર પણ નહિ નભે ! કાટ ખાધેલાં એ શાસ્ત્રો હવે અભરાઈએ ચઢાવો. હવે તો નવસર્જન થાય છે. “જાનું એટલું સોનું' એમ કહેનારાઓ તો ઘેલા છે ઘેલા ! ! ! જુના બંધારણો, રીતરિવાજો, પોથાં થોથાંઓ ભસ્મીભૂત કરો ! સ્વતંત્રતાના જમાનામાં પરતંત્રતા શી રીતે પડાવે ? “જી હા ના જમાના ગયા ! આ તો વિજ્ઞાનનો જમાનો છે વિજ્ઞાનનો ! કેવળજ્ઞાન કોણે જોયું? જો એ સાચું હોય તો કેવળજ્ઞાનીએ આજના એરોપ્લેન, ઇલેકિટ્રક વિગેરેનું વર્ણન કેમ ન કર્યું? જુઓ આજની દુનિયા અખતરાઓથી નવી નવી શોધો કરે છે ! ગયો વખત મળતો નથી. આવા ગોલ્ડન ટાઈમ (સોનેરી સમય)ને પ્રગતિ કરવામાં કે જનસેવામાં ન રોકતાં એ પૂજા, એ સામાયિક, એ પ્રતિક્રમણ, પારણે લાડવા ખાવા માટે થતા એ પૌષધ વિગેરેમાં ક્યાં સુધી રોકશો ? એ કોરી ક્રિયાઓમાં ધર્મ કહ્યો કોણે? આજે લાખો લોકો બેકાર છે ત્યારે શું અનુષ્ઠાનોનાં નામો દ્રવ્યનો ધુમાડો કરવાનું ચાલુ રાખશો ? અને દેવમંદિરોમાં પડેલી મિલકત શા કામની છે ? એ મિલકત મૂકનાર પણ મનુષ્યો છે. એ મિલકત માનવદેવો માટે કામ ન આવે તો શા કામની ? દયા; અહિંસા રહ્યા ક્યાં ? સાચા દેવ તો મનુષ્યો છે જે પ્રત્યક્ષ દેખાય છે. એ દેવને મૂકીને કલ્પિત દેવની પૂજા ક્યાં સુધી કરશો? ગુરૂ એટલે ? બસ ! એ વેષધારીઓનું નામ નહિ લ્યો ! લોકોનાં છોકરાંને નસાડનાર, ભગાડનાર તેઓ માટે તો જેલના સળીઆ જ યોગ્ય છે. શ્રાવકનું ખાવું, પીવું, તેઓનાં પર જીવન નિભાવવું છતાં જેઓ સમાજસેવામાં ફાળો ન આપે તેઓ ગુરુ શાના? અને ધર્મ કે જે જાને ચીલે ચાલવું એનું નામ ધર્મ નથી ! ધર્મ એ તો મનુષ્ય કરેલી કલ્પના છે. દેવમંદિરોના હારદોર ખડકલા ક્યાં સુધી ખડકશો? કલાવિહીન મૂર્તિઓની સંખ્યા ક્યાં સુધી વધારશો ? કેટલું કહેવું? જમાનાનું કાંઈ ભાન છે ? જમાનો ક્યાં છે અને તમે ક્યાં છો ? વીસમી સદીમાં ચૌદમી સદીના જીવન ના જીવાય ! વળી દીક્ષા ! દીક્ષા સાચી પણ એ જમાના ગયા ! દીક્ષા પીળાં કપડામાં નથી પણ જનસેવામાં છે ! સ્વર્ગ, મોક્ષ વિગેરેનાં પ્રલોભનથી કાચી વયનાને મૂડી નાખનારાઓ, પરણેલાને પણ પીળાં પહેરાવી દેનારાઓ અને તેમ કરી કંઈના સંસારનું સત્યાનાશ વાળનારા પઠાણોને કયાં સુધી પોષશો? આમ તો સમાજ નભે શી રીતે?
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy