SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૬-૩-૩૩ જૈનોની વસ્તીવાળાં મુખ્ય શહેરોમાં વર્ધમાન તપખાતું હોય છે ત્યાં વર્ધમાન તપની ઓળી આદરનારા પુણ્યાત્માઓ ખરેખર એ પરિવર્તનના પરમાણુઓનો અમોઘ પ્રચાર કરી રહ્યા છે. | શ્રી વર્ધમાન આચામામ્લ તપથી સંસ્કારમાં કેટલું પ્રબળ અને પ્રગતિમાન પરિવર્તન થાય છે. એ ઘણાએ પુણ્યવાન આત્માઓએ એને સેવતાં સેવતાં ચારિત્રને મેળવીને પ્રત્યક્ષ અનુભવ્યું છે ! શ્રી વર્ધમાન તપને આરાધનાર ટોળીમાંથી સારી સંખ્યામાં દીક્ષિત થયેલાઓ આજે પૃથ્વીતલને પાવન કરી રહેલ છે. આહાર લેતા અણાહારી બનાતું નથી એ સિધ્ધ હોવા છતાં પણ એ જ અણાહારી પદની સાધના, આહાર લેવાની ઈચ્છાવાળાઓ પણ એ મહામંગળકારી શ્રી વર્ધમાન આચામાન્સ તપને સેવીને પણ કમે સાધી શકે છે. એ તો એ તપનો પ્રગટ પ્રભાવ છે. આવા ઉત્તમ તપના (મનુષ્યભવ પામ્યા બાદ) આરાધનથી કયો મુમુક્ષુ વિમુખ રહે ? મહા પરાક્રમી પાંડવોએ પણ પોતાના પૂર્વભવમાં આ તપની આરાધના કરી હતી. મગધ દેશના પરમ પરાક્રમી રાજા શ્રેણિકની મહાસેન કૃષ્ણાએ પણ આ તપને આદર્યો હતો. શ્રી ચંદ્રકુમાર પણ આ તપના જ આરાધક હતા. શાસ્ત્રમાં એવા દૃષ્ટાંતો પારાવાર છે. અસ્તુ ! એકવાર જિંદગીના મોટા ભાગ પર્યત ચાલતા, આવી સુંદર યોજનાવાળા આ તપનો આદર થાય તો ખચિત માનો કે બેડો પાર છે ! જેનો પાયો નંખાય એ મકાન વહેલું મોડું ચણાવાનું જ; એ જ રીતે આ તપનો પાયો પાંચ ઓળી (લાગટ) કરવાથી નંખાય છે. પાયો નાંખી જુઓ એટલો સ્વાદ તો ચાખી • જુઓ. શ્રી વર્ધમાન સ્વામીના વિજયવંતા શાસનમાં, આગળ વધવું હોય, પ્રગતિની જ અપેક્ષા હોય તો શ્રી વર્ધમાન તપની આરાધના શરૂ કરો ! - દેવવશાતુ દિલ ડગુમગુ થતું હોય તો છેવટ અવારનવાર જેમ બને તેમ વધારે સંખ્યામાં આયંબિલ કરવાનો અભ્યાસ જરૂર પાડવો કે જે અભ્યાસ શ્રી વર્ધમાન તપ કરવાની સ્વયમ્ પ્રેરણા કરશે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy