SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર. (પાક્ષિક) ઉદેશ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :' તુર્મસાનુfમ સર્વસંપત્તિ સાથો आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ:- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.” પ્રથમ વર્ષ અંક ૧૨ મો ૨ મુંબઈ, તા. ૨૬-૩-૩૩, રવિવાર. ફાગણ વદ ૦)) વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯ શ્રી વર્ધમાન તપની વિશિષ્ટતા ! ( શ્રી) જીનેશ્વર દેવ પ્રરૂપિત જૈન દર્શન એટલે સર્વોત્કૃષ્ટ ત્યાગ દર્શન ! મુક્તિના અર્થી A B મનુષ્ય માત્રનો બંધનનાં કારણોનો ત્યાગ કર્યા વિના છૂટકો જ નથી. માયાનાં બંધન અનેક પ્રકારનાં છે. અનાદિકાલથી અદ્યાપિ પર્યત આત્માની અથડામણ એને જ આભારી છે. ખાવું પીવું અને વિષયોમાં મશગુલ રહેવું, એને અંગે કષાયોના નશાથી ચકચૂર બનવું અને પરિણામે ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવું. આ પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી મુક્તિ મળે ક્યાંથી? પ્રાપ્ત કરવું છે અણાહારીપદ અને પ્રવૃત્તિ ચાલુ રાખવી છે આહાર લેવાની, રસ લોલુપ્ય સેવવાની ? જૈન દર્શન સાફ સાફ ફરમાવે છે કે ખાતાંપીતાં, અમનચમન ઉડાવતાં મુક્તિ નહીં જ મળે ! પંડિત શ્રી પદ્યવિજયજી મહારાજ પણ સ્વ-રચિત પૂજામાં તત્કસંગે કહે છે કે :
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy