________________
૨૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ બચવા માટે શું કરવું એનો સ્વપ્નમાંયે વિચાર સરખો પણ ન થાય તો ત્યાં “ખાળે ડૂચા
અને દરવાજા ખુલ્લા જેવું નહીં તો બીજું શું? પ્રશ્ન ૩૧૧- ધર્મ કરવા માટે મળેલી સામગ્રીનો ઉપયોગ નહીં કરતાં “આવતા ભવમાં ધર્મ કરીશું'
એવી ઈચ્છા રાખવી એ બિના ધર્મશાસ્ત્ર અને નીતિથી સંગત છે કે વિરુદ્ધ ? સમાધાન- પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રીનો ઉપયોગ કરવા ઉજમાલ થાય નહીં અને ધર્મ કરવાની
ઈચ્છા આવતા ભવમાં ધરાવે એ ઇચ્છા જ નીતિ અને ધર્મથી વિરુદ્ધ છે, કારણ કે નીતિકારો પણ કહે છે.
यो ध्रुवाणि परित्यज्य, अधुवं परिषेव ।
ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेवच ॥ જે નિશ્ચિત વસ્તુ (ધર્મ) ચાલુ ભવમાં સ્થિર એવાને છોડી દઈને અનિશ્ચિત વસ્તુઓને સેવે છે અર્થાત્ ભવિષ્યમાં ધર્મ કરીશું એ ઈચ્છાથી નાશ પામનારી પૌલિક અસ્થિર વસ્તુઓમાં રાચ્યો માચ્યો રહે છે તે ખરેખર આ ભવમાં કરવાના ધર્મથી અને ભવિષ્યમાં આરાધના વિના ધર્મ મળશે કે નહીં એનો નિશ્ચય ન હોવાથી બંનેથી ભ્રષ્ટ
થાય. પ્રશ્ન ૩૧૨ જિન કેટલા પ્રકારના છે ? સમાધાન- જિન ચાર પ્રકારના છે ૧. પ્રથમ ઋતજિન તે દશ પૂર્વધરથી ચૌદ પૂર્વધર સુધીના
મુનિઓ, ૨ દ્વિતીય અવધિજિન તે અવધિજ્ઞાનવાળા મુનીશ્વરો વગેરે ૩ તૃતીય મન:પર્યવજિન તે વિપુલરૂમતિ મનઃ પર્યવજ્ઞાનના ધારક, વિશુદ્ધ ચારિત્રધર શ્રમણ
નિગ્રંથો, ૪ ચતુર્થ કેવળીજિન તે સામાન્ય કેવલીઓ કહેવાય. પ્રશ્ન ૩૧૩- તીર્થંકરો જિનેશ્વર શા માટે કહેવાય છે? સમાધાન
બિનાની મિનેષુ કા ફ્રેશ રતિ જિનેશ) ચાર પ્રકારના જિનોમાં ચોત્રીશ અતિશયને પાંત્રીશ ગુણયુક્તવાણીવાળા હોવાથી ઈશ્વર તે જિનેશ્વર કહેવાય.
-
-
*
*