SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૩-૩૩ સ્થાને પણ દાધારંગા વ્યાકરણ ભણેલાની શી દશા થાય તે વિચારજો ! કેમ કે મર્દતિ પદનો પૂજે છે એવો અર્થ થાય, તો ગતિ એટલે પૂજનારો અહમ્ કહેવાવો જોઈએ તેમ ધાતુથી વર્તમાન કાળનો પ્રત્યય લાવો ત્યારે વર્દન શબ્દ બને, અને એ રીતે તો “પૂજા કરનારો' એવો અર્થવાળો મર્દન શબ્દ થાય; દાધારંગાની દશા આ ! જેમ અતિ એટલે જનારો તે સૌ, પતિ એટલે રાંધનારો તે પાચક એવી રીતે ગઈન એટલે પૂજનારો, આવી વ્યાખ્યા દાધારંગા વ્યાકરણ ભણેલા કરે પણ સત્ય રીતે તો મર્દ ધાતુથી અતુશ લવાયને તે ત્યારે જ લાયક કે જ્યારે સ્તવવા લાયક અર્થ લાવવો હોય કારણ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે કે “પુષિા નશકુતુત્યે' આ ઉપરથી સ્પષ્ટ થયું કે પૂજાને જે લાયક છે તેઓને જ અરિહંત કહી શકાય આ પૂજાર્થના “અહ” ધાતુથી થતો અર્થ કેમ છુપાઈ ગયો છે ? દરેક સ્થળે કર્મને હણનાર અરિહંત કહેવાય છે, પણ પૂજાને લાયક' આ અર્થ કેમ વધારે બોલવામાં નથી આવતો? આના જવાબમાં એટલું જ જણાવવાનું કે આ અર્થ ઘણા ભાગે ભાષાન્તર કરનારા લઈ બેઠા છે, શાસ્ત્રકારો પહેલા અર્થ તો અશોકાદિ પ્રાતિહાર્યની પૂજાને લાયક તે ગર્દન એમ કહે છે; ચાહે નવકાર અર્થમાં કે નમુસ્કુર્ણ ના અર્થમાં લ્યો પણ બધી જગા પર શબ્દાર્થ તરીકે પૂજાને લાયક હોય તેનું નામ જ મર્દન જણાવ્યું છે. કદાચ કોઈ કહે કે મન નો એ અર્થ ભલે થાય પણ અમારે તો અહિં અરિહંત શબ્દ છે, પ્રાકૃત વ્યાકરણને ન ભણનાર આ અર્ધદગ્ધો ગણાય કેમ કે પ્રાકૃતમાં ચોખ્ખું સૂત્ર છે કે ઉદ્યાતિ' એટલે “અહં શબ્દના સંયુક્ત વ્યજનમાં પહેલાં વ્યંજનમાં મ, રૂં, ૩ ત્રણે દાખલ થાય. એકજ મહંત શબ્દથી “અરૂહંત, અરિહંત અરહંત' ત્રણે શબ્દ સિદ્ધ થાય; જે દેવ પૂજાને લાયક તે અરિહંત કહેવાય છતાં નિરૂક્તિથી કર્મ શત્રુને હણનાર તે અરિહંત કહેવાય. શત્રુ શબ્દથી જૈનશાસનને માનનારો કોઈ પણ મનુષ્ય કર્મ જ સમજે, કર્મને હણવાં એ જ ધ્યેય રાખે તો તે મનુષ્ય ભાવ નમસ્કારવાળો ગણાય એ ઉપરથી દરેક ક્રિયા ભાવથી કોને ગણવી ? કર્મક્ષયના મુદાથી જે ક્રિયા કરાય તેનું નામ ભાવક્રિયા. કર્મક્ષયના મુદ્દા વગર તેનું નામ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો મુદ્દો ક્યાં? કર્મક્ષય ! જૈનશાસનમાં તમામ ક્રિયાઓમાં એક જ કર્મક્ષયનો મુદો છે, અને આ મુદ્દાવાળાને સમ્યગ્દર્શનાદિ ચારગુણોની પ્રાપ્તિ થાય નવકારમાં આ ચારનું કારણ તરીકે ફળ જણાવ્યું જ્યારે નવપદમાં કાર્ય તરીકે ફલ જણાવ્યું છે. સમ્યગદર્શનાદિ ચારે ફળ છે. અહિતાદિ પાંચેનું આરાધન પણ સમ્યગુદર્શનાદિ ચાર માટે છે ત્રણે તરફથી એક પોઈટ (મુદા) પર આવ્યા, અરિહંતાદિને આરાધવા શા માટે? એમનામાં સમ્યગદર્શનાદિ છે માટે અત્યારે મેળવવું છે શું? સમ્યગદર્શનાદિ, ચાર મળ્યા પછી હવે શા માટે ઉદ્યમ કરો છો? પરમ સમ્યગુદર્શનાદિ પ્રાપ્ત કરવા માટે! જો સમ્યગુદર્શનાદિ ચારને ચૂક્યા તો ચકરાવે ચડ્યા ! આરાધ્યામાં કારણ ચાર, આરાધવામાં અનંતર તેમજ પરંપર હેતુ પણ આ ચાર માટે આ ચારથી જો ચૂક્યા તો ચક્રવામાં ગયા. પાંચે પરમેષ્ઠિની આરાધના કરવામાં પણ જો આ ચારને ચૂક્યા તો એ આરાધના પણ દ્રવ્ય આરાધના જાણવી ભાવ આરાધનાની જડ આ ચાર (સમ્યગુદર્શનાદિ) છે, નવકારમાં કર્મક્ષયનો મુદો હતો પણ અહીં સાધ્યની સિદ્ધિ રૂપે મુદ્દો સ્પષ્ટપણે જણાવ્યો છે. આ વિચારથી નવકારમાં અને નવપદમાં લગીર પણ ફરક પડશે નહીં, ત્યાં નવકારમાં જ્યારે પાપનો નાશ અને
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy