________________
૧૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ પડે તેને કિંમતી કોણ ગણે ! મૂર્ખ ? કિંમતી છે કે જે મેળવીને મહેલવું ન પડે. ધર્મ અને મોક્ષ મેળવ્યા પછી હેલવાં પડતાં નથી. યદ્યપિ સ્વરૂપ આવું છતાં “કુકડીનું હોં પલી' એ કહેવત મુજબ, દુનિયામાં રાચેલા જીવો એકદમ છોડવા તૈયાર ન થાય, તેવાઓના ભલા માટે જણાવ્યું કે ધન વિગેરે પણ મળવાનો આધાર ધર્મ ઉપર છે. ધર્મની આરાધના નહીં કરે તો આખી જીંદગી પરિશ્રમ ઉઠાવવા છતાંયે ધન નહીં મળે, અને ધર્મની આરાધના કરનારને આપોઆપ આવી મળશે. જન્મતાં જ જેને રાજ્ય મળે છે તે ક્યાં મહેનત કરવા ગયો હતો ? કહો કે ધર્મ જ એને એ મેળવી આપે છે. સુખની ઇચ્છાવાળાને સર્વ પ્રકારનાં સુખ દેનાર તે ધર્મજ છે. મોક્ષને સાધનાર હોય તો તે ધર્મ જ છે. પરંપરાએ મોક્ષ સિદ્ધ કરી આપનાર ધર્મજ છે. આ રીતે યથાર્થ સ્વરૂપ સમજી જેઓ ધર્મમાં ઉદ્યમ કરશે તેઓ આ ભવ પરભવ કલ્યાણની પરંપરા પામી છેલ્લે મોક્ષ સુખને પામશે. સિદ્ધના શાશ્વસ્થાનમાં વિરાજમાન થશે.