SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XLI, 2018 ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા 187 ભોમિયા જેવું છે, અથવા આગળ પ્રગતિ કરવાના માર્ગ ઉપર પ્રકાશ પાથરનાર છે. જો તેને પરિણામે જીવનનો બીજો અને મહત્ત્વનો ભાગ જે નૈતિકતા છે તે ન ખીલે તો એ તત્ત્વજ્ઞાન વધ્ય બની રહે. તેથી નિષ્ઠાવાન તત્ત્વજ્ઞો નૈતિકતા યા ચારિત્રની સાથે જ તત્ત્વજ્ઞાનનું મૂલ્યાંકન કરે છે. ૫. મને મારા અતિ અલ્પ અભ્યાસને પરિણામે પણ એવું જણાયું છે કે જુદી જુદી અનેક પરંપરાઓની વિચારસરણીઓ, એને પ્રગટ કરનારી પરિભાષાઓ અને એનાં વર્ગીકરણો ઘણી વાર ઉપર ઉપરથી પરસ્પર વિરુદ્ધ લાગે તોય એના મૂળમાં ઊંડા ઊતરતાં એમાં એક જાતનો સુસંવાદ જ રહેલો હોય છે. જો તત્ત્વજ્ઞ એ મૌલિક સંવાદી સૂરને પકડી લે તો એની આસપાસ બધી વિચારસરણીઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે.
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy