SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 186 પં. સુખલાલજી SAMBODHI અંતિમ તાત્પર્ય તો માત્ર શૂન્યતામાં છે. જયાં મનની ગતિ નથી અને શાબ્દિક કલ્પનામાં જે બદ્ધ થઈ શકે નહીં તે તત્ત્વ અંતિમ અને એ બધા અભિનિવેશો, દૃષ્ટિઓ અને કલ્પનાઓથી શૂન્ય છે. એમાં શૂન્યતાની દૃષ્ટિ – અભિનિવેશને પણ સ્થાન નથી. આ રીતે એક જ બૌદ્ધ પરંપરામાં ઉત્તરોત્તર વિચારક્રાન્તિ થતાં પૂર્વ પૂર્વ મંતવ્યોને ગૌણ સ્થાને ગોઠવવાં પડ્યાં. છેલ્લે એક શબ્દયુગલ વિશે પણ થોડું કહી દેવું પ્રાસંગિક છે. માયા અને સત્ય એ બે શબ્દો બહુ જાણીતા છે, અને અતિ પ્રાચીન પણ છે. તેના અર્થોની છાયાઓ અનેક છે. જ્યાં કાલ્પનિકતા અને અવાસ્તવિકતાનો ભાવ સૂચવવો હોય ત્યાં સામાન્ય રીતે માયા પદ વપરાય છે, અને જયાં વાસ્તવિકતા યા અબાધિતતાનો ભાવ સૂચવવો હોય ત્યાં સત્ય પદ વપરાય છે. પણ જેમ જેમ સત્યની પ્રતીતિ વિકસતી તેમ જ સ્પષ્ટ થતી જાય તેમ તેમ પૂર્વ પૂર્વની સત્યપ્રતીતિઓને તત્ત્વચિંતકો લૌકિક, વ્યાવહારિક, સાંવૃત્તિક, નેયાર્થક અને માયિક કહી ઉતરતા ક્રમમાં ગોઠવતા આવ્યા છે. આ ક્રમ જેમ તત્ત્વજ્ઞાનમાં તેમ ધાર્મિક આચારમાં પણ દેખાય છે. જેમ જેમ ધર્મની સૂક્ષ્મતા વિચારાતી ગઈ અને આચરણમાં વ્યક્ત થતી ગઈ, તેમ તેમ સ્થૂળ કોટિના લોકગમ્ય બાહ્ય ધર્માચારોને લૌકિક, વ્યાવહારિક કે અપારમાર્થિક રૂપે ઓળખાવવાનું વલણ વધતું રહ્યું છે. ઉપર જે ચર્ચા કરી છે તેના વિષયોને વિશેષ ફુટપણે સમજવામાં ઉપયોગી થઈ શકે એવી બે મારી પુસ્તિકાઓની ભલામણ કરું તો તે અસ્થાને નહીં લેખાય. ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રસિદ્ધ થયેલ “અધ્યાત્મ વિચારણા' અને વડોદરા ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ તરફથી પ્રસિદ્ધ થયેલ “ભારતીય તત્ત્વવિદ્યા”. આ બંને પુસ્તિકાઓમાં મેં તે તે વિષયને કાંઈક વધારે વિગતથી યથાસંભવ ઐતિહાસિક દષ્ટિથી અને ઉપપત્તિપૂર્વક ચર્ચા છે. સંભવ છે કે એનું વાચન તત્ત્વાભ્યાસીને ઉપયોગી નીવડે. ઉપસંહાર ૧. હું તત્ત્વજ્ઞાનના અભ્યાસ પરત્વે જે દૃષ્ટિ ધરાવું છું તેનો નિર્દેશ કરવો યોગ્ય છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસી માત્ર સત્ય તરફ જ દષ્ટિ રાખે તો જ એ અભ્યાસમાંથી સારતત્ત્વ મેળવી શકે. તે માટે પ્રથમ તો એણે કોઈ પણ જાતના પૂર્વાગ્રહને વશ ન જ થવું ઘટે. પોતે જે વિચાર સેવતો હોય કે જે નિષ્કર્ષ ઉપર પહોંચ્યો હોય, તેનાથી વિરુદ્ધ મતો, વિચારો કે સ્થાપનાઓ સામે ઉપસ્થિત થાય ત્યારે એણે એના પ્રત્યે એટલો જ આદર કેળવવો જોઈએ, જેટલો પોતાના વિચાર પ્રત્યે હોય. આવા સમત્વ વિના પૂર્વાગ્રહથી છૂટી જ ન શકાય. તત્ત્વજ્ઞાનના અભ્યાસનું ક્ષેત્ર જે રીતે વિસ્તરી રહ્યું છે, તે જોતાં અભ્યાસીએ કોઈ એક જ પરંપરાના તવિષયક સાહિત્યમાં પુરાઈ ન રહેતાં બને તેટલી દૃષ્ટિમર્યાદા વિસ્તારતા જ જવું જોઈએ. તત્ત્વજ્ઞાન શબ્દથી સીધો અર્થ તો ફલિત એટલો જ થાય છે કે તે એક પ્રકારનું સત્યલક્ષી જ્ઞાન છે. પણ જીવન એ માત્ર જ્ઞાનમાં પરિસમાપ્ત નથી થતું. જ્ઞાન એ તો જીવનને દોરનાર એક ૩. ૪.
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy