SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 118 મધુસૂદન બક્ષી SAMBODHI જગતમિથ્યાત્વના પક્ષકાર જ હતા. બ્રહ્મનું દ્વિવિધ સ્વરૂપ શંકરાચાર્યને માન્ય ન હતું. સવિશેષ બ્રહ્મ ઉપાધિયુક્ત છે અને ઉપાધિ અવિદ્યાકલ્પિત છે (શર્મા: પૃ.xxiv). વ્યાસતીર્થ પ્રમાણે તો સત્યત્વ-મિથ્યાત્વને બદલે નિત્ય-અનિત્યનો ભેદ મહત્ત્વનો છે. જે અનિત્ય એ મિથ્યા તેવું નથી. (૩) અન્તઃકરણવૃત્તિ અને અવિદ્યાવૃત્તિ પતંજલિ પ્રમાણે ચિત્તવૃત્તિ પાંચ પ્રકારની છે : પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. અદ્વૈતમને કેવળ પ્રમાણવૃત્તિ જ અન્તઃકરણવૃત્તિ છે. તે સિવાયની વૃત્તિ અવિદ્યાવૃત્તિ છે. પતંજલિએ યોગદર્શનમાં અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કર્યો નથી. વેદાન્ત પ્રમાણે સુષુપ્તિકાળે તો અન્તઃકરણ વિલીન થઈ ગયું હોય છે, તેથી, નિદ્રાવૃત્તિ પણ અવિદ્યાવૃત્તિ જ છે. અવિદ્યાવૃત્તિ એટલે જ્ઞાનાભાસ. જ્ઞાનાભાસ તો અજ્ઞાનવિરોધી ન હોય. સ્મૃતિમાં અજ્ઞાનનિવર્તિત્વ નથી, માટે તે પણ અવિદ્યાવૃત્તિ જ છે. અજ્ઞાનથી ઉપહિત સાક્ષી અવિદ્યાવૃત્તિનો આશ્રય છે. સ્મૃતિનો આશ્રય પણ સાક્ષી જ છે, પ્રમાતા નહીં. (શાહ: ૧૬૩-૧૬૪). - “સ્મૃતિ, સંશય અને વિપર્યય જ્ઞાનાભાસ છે. અવિદ્યાવૃત્તિ છે. તે જ્ઞાનાભાસ કે અવિદ્યાવૃત્તિનો આશ્રય સાક્ષિચૈતન્ય જ છે. અહંકાર કે અન્તઃકરણ અવિદ્યાવૃત્તિનો આશ્રય નથી... અહંકાર પ્રમાનો જ જનક છે. અહંકાર પ્રમાનો જ આશ્રય છે. અપ્રમારૂપી જ્ઞાનાભાસની જનક અવિદ્યા જ છે અને માત્ર અવિદ્યોહિત સાક્ષી જ તે જ્ઞાનાભાસનો આશ્રય છે. અપ્રમાજ્ઞાનમાત્ર જ્ઞાનાભાસ છે.... જે અપ્રમા છે તે જ્ઞાનાભાસ છે.” (શાહઃ ૧૯૫) (જ્ઞાન = પ્રમા; અપ્રમા = જ્ઞાનાભાસ). જે અધિગત (જ્ઞાત) વિષયક હોય તે જ્ઞાન નથી, જ્ઞાનાભાસ જ છે. જે જ્ઞાન અજ્ઞાત કે અગૃહીતનું ગ્રહણ કરે તે જ પ્રમાજ્ઞાન કહેવાય છે. પ્રમા અન્ત:કરણવૃત્તિ છે, અપ્રમા જ અવિદ્યાવૃત્તિ છે. સાક્ષી પ્રમાતા નથી. સાક્ષી દષ્ટા છે. સાક્ષિજ્ઞાન પ્રમિતિ નથી. જો કે, તેનાથી ગ્રાહ્ય વસ્તુ સિદ્ધ થાય છે, પણ તે પ્રમિત થતી નથી. કારણ કે, અજ્ઞાત અર્થને જે જાણે, તેનો નિશ્ચય જે કરે તે જ પ્રમિતિ. સાક્ષી અજ્ઞાત અર્થને જાણનારો નથી. સાક્ષિસિદ્ધ વસ્તુ પ્રમાણસિદ્ધ વસ્તુથી ભિન્ન છે. સાક્ષિભાસ્ય સુખ કે દુઃખ કે સાક્ષિભાસ્ય શુક્તિરતાદિની અજ્ઞાત સત્તા નથી હોતી. પ્રમાણસિદ્ધ વસ્તુની જ અજ્ઞાત સત્તા હોય છે. “સાક્ષિભાસ્ય વસ્તુ જેટલી ક્ષણ અસ્તિત્વ ધરાવતી હોય તેટલી ક્ષણ જ સાક્ષી વડે પ્રકાશિત હોય છે.” (શાહ : ૫૦). અજ્ઞાત વસ્તુને સાક્ષી અજ્ઞાતરૂપે જાણે છે અને જ્ઞાત વસ્તુને સાક્ષી જ્ઞાત વસ્તુરૂપે પ્રકાશિત કરે છે. પ્રમાણથી જ અજ્ઞાત વસ્તુનું અજ્ઞાન દૂર થાય છે. પ્રમાણ અજ્ઞાતબોધક જ હોય છે. જેમ શુદ્ધ ચૈતન્યમાં અજ્ઞાન અધ્યસ્ત છે તેમ શુદ્ધ ચૈતન્યમાં અન્તઃકરણ પણ અધ્યસ્ત છે. આમ અજ્ઞાન અને અંતઃકરણનો આશ્રય શુદ્ધ ચૈતન્ય એક જ છે” (શાહ પ૨) અહીં પ્રશ્ન વસ્તુની અજ્ઞાત સત્તાનો છે. કોઈ વૃક્ષને જુએ ત્યાં સુધી જ વૃક્ષ હોય તેવું નથી, પણ કોઈ સ્વમ જુએ ત્યાં સુધી જ સ્વમ હોય, સુખ અનુભવે ત્યાં સુધી જ સુખ હોય અને બ્રાન્તિ અનુભવતી
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy