SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર 119 વ્યક્તિને બ્રાન્તિ દરમિયાન જે વસ્તુ પ્રતીત થાય છે તેનું ભ્રાન્તિના તેવા અનુભવથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. શુક્તિમાં પ્રતીત થતું રજત સોનાચાંદીની દુકાનમાંથી મળતી ચાંદીની વસ્તુ કરતાં ભિન્ન જ છે, કારણ કે, તેવી વસ્તુ જ્ઞાતાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. તેથી, શુક્તિરતાદિ અનુભવ પ્રમા નથી.સુખદુઃખાદિ અનુભવો પણ તે જ કારણે પ્રમા નથી, બન્ને સાક્ષિભાસ્ય છે. સાક્ષી અજ્ઞાત વસ્તુને અજ્ઞાતરૂપે અને જ્ઞાત વસ્તુને જ્ઞાતરૂપે પ્રકાશિત કરે છે. (શાહ: પૃ.૫૧). અદ્વૈત વેદાન્તમાં અવિદ્યાવૃત્તિમાં જ્ઞાનત્વ નથી, તેમજ પ્રમાત્વ પણ નથી (શાહ: પૃ.૩૨,૩૩). શુક્તિરજતપ્રતીતિ કે સુખદુઃખાદિવિષયક જ્ઞાન “પ્રતિભાસકાલમાત્રસ્થાયી” છે. તેનું અજ્ઞાત અસ્તિત્વ નથી. જો કે, શુક્તિરજતવિષયક જ્ઞાન ઉત્તરકાળે બાધિત થાય છે, જ્યારે સુખદુઃખાદિ વિશેનું જ્ઞાન તેવી રીતે તો બાધિત થતું નથી, તે જોતાં, કેટલાક વેદાન્તાચાર્યો સુખ વગેરેમાં પ્રમાત્વને માને છે ખરા. સુખાદિ કે રતાદિને વિષય કરનારી અવિદ્યાવૃત્તિની આવશ્યકતા કેટલાકને સ્વીકાર્ય નથી, પણ અદ્વૈતસિદ્ધિમાં બંને સ્થળે અવિદ્યાવૃત્તિ માની છે. પ્રલયકાળે મૂળ અજ્ઞાન હોય છે પણ અવિદ્યાવૃત્તિ હોતી નથી. તેથી પ્રલયકાળ (Universal Destruction) સુષુપ્તિથી ભિન્ન છે (P.M.Modi, p.124). નગીન શાહે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે જ્યાં અજ્ઞાનના આકારની અવિદ્યાવૃત્તિ ન માની શકાય ત્યાં અજ્ઞાન સાક્ષિસિદ્ધ જ છે તેવું ભલે મધુસૂદને કહ્યું ન હોય પણ, “અજ્ઞાનોપહિત ચૈતન્ય દ્વારા, પ્રલયકાળના અજ્ઞાનની જેમ જ અજ્ઞાન સાક્ષિસિદ્ધ જ હોય છે.” (નોંધ : શાહ : પૃ. 176). અજ્ઞાનના આકારની અજ્ઞાનવૃત્તિનો જ્યાં અભાવ હોય ત્યાં અજ્ઞાનનો કોઈ સાક્ષી જ નથી તેવું નથી. એટલે ત્યાં અજ્ઞાનને અસિદ્ધ માની શકાય નહીં. ટૂંકમાં, જે સ્થળે અજ્ઞાનનું સ્મરણ અનુભવસિદ્ધ નથી (પ્રલયકાળ) ત્યાં કોઈ જન્ય અજ્ઞાનવૃત્તિને માનવાની જરૂર નથી. મૃતિ, સંશય અને વિપર્યયનો આશ્રય સાક્ષી (witnessing consciousness) છે. (Modi, p.126). એવો કોઈ નિયમ નથી કે અવિદ્યાનો દષ્ટા સાક્ષી હમેશાં અવિદ્યાવૃત્તિનો પણ સાક્ષી હોય જ. પ્રલયકાળે સાક્ષી અવિદ્યાનો દષ્ટા છે પણ અવિદ્યાવૃત્તિનો દષ્ટા નથી. સાક્ષી = અવિદ્યાવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય (શાહ: પૃ.૧૫૮) (૪) મૂલાજ્ઞાન, તુલાજ્ઞાન અને અવસ્થા-અજ્ઞાન અદ્વૈતમતે અવિદ્યા જડ વસ્તુનું આવરણ કરતી નથી. તે તો કેવળ શુદ્ધ ચૈતન્યનું જ આવરણ કરે છે. અનાદિ ચૈતન્યનું આવરણ કરતી અવિદ્યા પોતે પણ અનાદિ જ છે. “શુક્યવચ્છિન્ન ચૈતન્યવિષયક અવિદ્યાનો વિષય શુક્તિ નથી જ. શુક્તિ તો અવિદ્યાના વિષયભૂત શુદ્ધ ચૈતન્યની અવચ્છેદકમાત્ર છે.” (શાહ: પૃ.૪). મધ્વવાદી રામાચાર્યએ તરંગિણીમાં કહ્યું છે કે જો શુદ્ધ ચૈતન્યની આવરક અવિદ્યા જ શક્તિમાં આરોપિત રજતનું ઉપાદાનકારણ હોય, તો પછી શુક્તિનું જ્ઞાન થતાં ખુદ મૂળ-અવિદ્યા જ દૂર થઈ જાય
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy