SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVII, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર 117 છે કે, નગીન શાહના ગ્રંથમાં અવિદ્યાનિરૂપણમાં બંને પક્ષે થયેલી દલીલો રજૂ થઈ છે. આ બધી દલીલોનો સાર આપવો અહીં શક્ય નથી. બી.કે.એલ શર્મા મધ્વાચાર્ય ઉપરના તેમના ગ્રંથ (૧૯૬૨; ૧૯૮૯)માં કહે છે કે ખરેખર તો વૈતવાદ તરીકે ઘટાવવાને બદલે મધ્વાચાર્યનો મત “સ્વતન્ત્ર અદ્વિતીય બ્રહ્મવાદ” એ રીતે સમજવો જોઈએ. દૈતવાદ(જેમ કે સાંખ્યદર્શન)માં બે સ્વતન્ન તત્ત્વો માન્ય છે, જયારે મધ્વમતે બ્રહ્મ જ સ્વતંત્ર તત્ત્વ છે અને જગત તેને અધીન પરતત્ર છે; જગત મિથ્યા નથી જ. મધ્વમતે કોઈ વસ્તુ અમુક સ્થળે કે કોઈક કાળે હોય અને પછી બીજા કાળે ન હોય તો ત્યાં અનિત્યત્વ જરૂર છે, પણ મિથ્યાત્વ નથી. સત્ય = “સર્વદિશકાળસંબંધિત્વ” એવું નથી. (૧૯૮૯ પૃ.૬૬). પ્રાતિભાસિક સત્ય, વ્યાવહારિક સત્ય અને પારમાર્થિક સત્ય એવા ભેદો સ્વીકાર્ય નથી. સત્ અને અસત્થી વિલક્ષણ તેવું અનિર્વચનીય કશું હોય જ નહીં (પૃ.૬૯). જે અનારોપિત છે અને જે પ્રમિતિનો વિષય છે તે જ મધ્વમતે સત્ય (reality) છે, તત્ત્વ છે. તેથી ક્ષણિક હોય તે જ સત્ અથવા તો ત્રણે કાળમાં જે અબાધિત હોય તે જ સત્ એવું મધ્વાચાર્ય પ્રમાણે સ્થાપી શકાતું નથી. અભેદ જ પારમાર્થિક છે, ભેદ મિથ્યા છે તેવી શાંકરવેદાન્તની મુખ્ય સ્થાપના મધ્વમતે માન્ય જ નથી. નગીન શાહે ન્યાયામૃત વિરુદ્ધ અદ્વૈતસિદ્ધિના વિવાદમાં ન્યાયામૃતને પૂર્વપક્ષ તરીકે ઘટાવીને અદ્વૈતસિદ્ધિમાં સિદ્ધાન્તપણે શાંકરવેદાન્તમાં કઈ દલીલો થઈ છે તેની મુખ્યત્વે રજૂઆત કરી છે. બી.એન.કે. શર્માએ Advaitasiddhi Vs yāyāmrta (1994) એ ગ્રંથમાં મુખ્યત્વે ન્યાયામૃતનો પક્ષ લઈને અદ્વૈતસિદ્ધિનો મત શા માટે સ્વીકાર્ય નથી તે દર્શાવ્યું છે. મધ્વપક્ષે વ્યાસતીર્થ અને અદ્વૈતપક્ષે મધુસૂદન સરસ્વતી વચ્ચે વેદાન્તના ઇતિહાસમાં જે અભૂતપૂર્વ વિચારવિમર્શ થયો તે ભારતીય દર્શનોના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને તેમાં નગીન શાહ અને બી.એન. કે શર્મા જેવા અભ્યાસીઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ શાસ્ત્રાર્થવિચાર તત્ત્વચિન્તકોને માટે ખૂબ જ મહત્ત્વનો છે. નગીન શાહ અને શર્મા જેવા ચિન્તકોએ આ ચર્ચા જીવંત રાખી છે. દ્વૈતવેદાન્તરસન્ન મહામહોપાધ્યાય શર્માએ દૈતપણે પ્રબળ દલીલો રજૂ કરી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં દાસગુપ્તાનો ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસ અંગેનો અંગ્રેજી ગ્રંથ પાંચ ભાગમાં પ્રકાશિત થયો છે અને આ મહાન ગ્રંથના ચોથા ભાગમાં વ્યાસતીર્થ, મધુસૂદન સરસ્વતી અને રામાચાર્યની દલીલો અંગે એક આખું પ્રકરણ ફાળવવામાં આવ્યું છે. એસ.એન. દાસગુપ્તાએ આ અંગેના વિચારવિમર્શમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે, પણ શર્મા પ્રમાણે દાસગુપ્તાએ આ વિવાદની સ્વતંત્ર સમીક્ષા ત્યાં કરી નથી (શર્મા : પૃ. xx). ઓગણીસમી અને વીસમી સદીમાં કેટલાક નવ્યવેદાન્તીઓએ સગુણ-નિર્ગુણ બ્રહ્મની સમકક્ષ સત્તા માનીને જગતના મિથ્યાત્વના વિચારને ઓછો મહત્ત્વનો ગણીને, બધા વેદાન્તવિચાર વચ્ચે સહમતી સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે ખરો, પણ શર્માના મતે શંકરાચાર્ય પોતે તો નિર્વિશેષ બ્રહ્મવાદી જ હતા અને
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy