________________ 116 મધુસૂદન બક્ષી * SAMBODHI (2) શાંકરવેદાન્તમાં અવિદ્યા એટલે શું? મંડનમિશ્ર બ્રહ્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું છે કે અવિદ્યા “તત્ત્વાગ્રહણાત્મિકા' છે, એટલે કે, તે તત્ત્વનું અગ્રહણ કરે છે. વિદ્યા, ‘તત્ત્વગ્રહણાત્મિકા છે - તે તત્ત્વનું ગ્રહણ કરે છે. આમ તત્ત્વનું અગ્રહણ (nonapprehension) અને તત્ત્વનું ગ્રહણ એ ભેદ તો સ્પષ્ટ જ છે, પરન્તુ, અવિદ્યામાં મંડનમિશ્ર પ્રમાણે તો તત્ત્વનું વિપરીતગ્રહણ (misapprehension) પણ છે. જીવમાં વિદ્યા નૈસર્ગિક નથી; અવિદ્યા જ નૈસર્ગિક છે. વિદ્યાથી અવિદ્યાનો પ્રવિલય થાય છે. ભદદર્શનરૂપ મૂળ અવિદ્યા અભદદર્શનરૂપ વિદ્યાથી નિવૃત્ત થાય છે.' સદાનન્દના વેદાન્તસાર મુજબ વસ્તુ ઉપર અવસ્તુનો આરોપ એટલે અધ્યારોપ (superimposition). વસ્તુ એટલે અહીં સચ્ચિદાનન્દરૂપ અદ્વય બ્રહ્મ. અવિદ્યાથી કલ્પિત અનાદિસકલજડસમૂહ એટલે અવસ્તુ (વેદાન્તસાર 32-33). . બ્રહ્મનું આવરણ કરતી અવિદ્યા વિક્ષેપશક્તિ પણ ધરાવે છે તેથી જ તો બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર મિથ્યાવસ્તુનો અધ્યારોપ થાય છે (વેદાન્તસાર : પ૦-પ૨). મધુસૂદન સરસ્વતીએ વેદાન્તકલ્પલતિકામાં સ્પષ્ટ કર્યું છે કે અનાદિ, અજન્ય, ભાવરૂપ અને જ્ઞાનનિવર્ય એવી અવિદ્યા જગતનું ઉપાદાન કારણ છે. બ્રહ્મજ્ઞાનથી તેનો નાશ થાય છે. ઉપાદાનનો નાશ થતાં ઉપાદેયનો પણ નાશ થાય છે. તેથી જ, આત્મા ઉપરનો ઇન્દ્રિય, દેહ વગેરેનો અધ્યાસ નાશ પામે છે. પરિણામે, જીવ-જગત-બ્રહ્મ એવા વિભાગથી શૂન્ય સ્વપ્રકાશ પરમાનન્દરૂપ અનુપહિત ચૈતન્ય જ રહે છે. આ વસ્તુસ્થિતિ એ જ મોક્ષ. અવિદ્યાનું આમ વૈશ્વિક પાસું પણ છે. જાગૃત અવસ્થામાં કોઈ સ્વમનો બાધ થાય પણ ફરી વાર નિદ્રાધીન થતાં તેવી વ્યક્તિને ફરી વાર કોઈ સ્વપ્ર આવી શકે છે. તો પછી, એક વાર અવિદ્યાનિવૃત્તિ થયા પછી અને જગતનો અભાવ પ્રતીત થયા પછી ફરી વાર જગતના સત્યત્વની પ્રતીતિની પુનરાવૃત્તિ શા માટે ન માનવી? આવી શંકાના સમાધાનમાં મધુસૂદન કહે છે કે અજ્ઞાન એક હોય પણ તેની શક્તિ અનેક હોય છે, તેથી, અજ્ઞાનની અમુક શક્તિનો નાશ થાય તો પણ અજ્ઞાનની બીજી શક્તિઓ પ્રવર્તતી હોવાથી સ્વપ્ર કે સામાન્ય ભ્રમની પુનરાવૃત્તિ શક્ય છે, પણ સર્વશક્તિવાળાં મૂળ-અજ્ઞાનની બ્રહ્મજ્ઞાનથી નિવૃત્તિ થતાં અહંકાર વગેરે અધ્યાસની કાયમી નિવૃત્તિ થાય છે, તેથી, તેવા અધ્યાસની પુનરાવૃત્તિ નથી થતી (વેદાન્તકલ્પલતિકા પૃ.૧૧૯). મધુસૂદન મુજબ અધિષ્ઠાનજ્ઞાનનાં પ્રમાત્વથી જ જ્ઞાનનિર્વત્યત્વ સ્થપાય છે. એટલે પછી અધિષ્ઠાન સમકારક છે કે નિષ્પકારક એ મુદ્દો મહત્ત્વનો રહેતો નથી. (વેદાન્તકલ્પલતિકા પૃ.૯૯). અદ્વૈતવેદાન્તપણે ઉપર્યુક્ત અવિદ્યાવિષયક કેટલીક રજૂઆતો નોંધ્યા પછી હવે દ્વૈતપક્ષે (મધ્વાચાર્યપક્ષે) અવિદ્યા અને મિથ્યાત્વ વિશે શું કહેવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ એટલા માટે જરૂરી