SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 136 સમીરકુમાર કે. પ્રજાપતિ SAMBODHI સૂક્ષ્મ સર્વ પદાર્થોનું ધારણ-પોષણ કરવાને કારણે પરમાત્માનું આ નામ છે. એ રીતે લઘુકાર્યક્ષેત્રમાં શરીરમાં સ્થિત વાણી, પ્રાણશક્તિ, ઇન્દ્રિયશક્તિ વગેરે તથા સ્થળસૂક્ષ્માદિ દેહોને ધારણ કરવાને કારણે “જીવાત્મા’ નો પણ વાચક આ શબ્દ છે. – “અપ્સરા' શબ્દનો અર્થ પ્રસ્તુત અધ્યયનમાં યથા સ્થાને આપેલ છે. (ક) વિક્રમોર્વશીયના નાન્દીશ્લોકનું કાવ્યાર્થ સૂચકત્વઃ અથર્વવેદીય સૂક્ત (૨૨)ના પરિપ્રેક્ષ્યમાં - (૧) મહાકવિ કાલિદાસે પોતાની રચનાઓમાં માનવ અને માનવેતર (અતીન્દ્રિય, અલૌકિક) પાત્રોનો પ્રચારમાત્રામાં વિનિયોગ કર્યો છે. જેમાં દેવ, યક્ષ, ગાંધર્વ, દાનવ, અપ્સરાઓ વગેરે અનેક જીવન્ત પાત્રોનો સમાવેશ થાય છે. એમાંય ગાંધર્વ અને અપ્સરાઓ તો એમના નાટ્ય સાહિત્યનાં મનપસંદ પાત્રો પ્રતીત થાય છે. (૨) નાટકનાં લક્ષણો અનુસાર નાયક “દિવ્યાદિવ્ય જ નહિ, પરંતુ દિવ્ય પણ હોય છે. વિક્રમો. નો નાયક પુરુરવા સ્વયં ગન્ધર્વની કોટિમાં આવી શકે છે. શતપથ બ્રાહ્મણ (૫.૧-૨)માં ઉલ્લેખ છે કે પુરુરવા ગન્ધર્વોને સંતુષ્ટ કરી, એમના નિર્દેશાનુસાર મનુષ્યલોકમાં સ્વર્ગીયાગ્નિ લાવીને યજ્ઞ કરે છે. તથા ગન્ધર્વરૂપ પ્રાપ્ત કરી લે છે. જેનાથી તે પોતાની પ્રેયસી સાથે હંમેશને માટે સાથે રહી શકે.” વિષ્ણુપુરાણમાં પણ આ જ રીતે પુરુરવાએ ગાંધર્વ પદ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે. વિક્રમોમાં રાજા અને ચિત્રરથની મૈત્રીમાં પુરુરવામાં ગંધર્વની સદેશતાનાં દર્શન થાય છે ? મયે ચિરાગઃ (રાવતીર્થ ) વાતિ પ્રિય સુવે (મહૂ : ૧) | પુરુરવા માનવેતર(દેવી) પાત્રોની જેમ “સ્વરતત્તે તિઃ' પણ કરી શકે છે. રાજાની આવી ક્ષમતાનાં દર્શન અપ્સરાઓના સંવાદમાં થાય છે : “રિત્રાતાં પરિત્રાયતાં યઃ સુરપક્ષપાતી વી વી નશ્વરતન્ત તિરતિ" (મહૂઃ ૨) નારદના સંવાદમાં એને ઇન્દ્રતુલ્ય માન્યો છે. જેમ કેत्वत्कार्यं वासवः कुर्यात्त्वं च तस्येष्टमाचरेः ।। સૂર્યઃ સથાનમનિઃ સૂર્ય ર તેના છે (વિમો, પ.ર૦) આમ પુરુરવા દેવતુલ્ય પણ માનવામાં આવ્યો છે. (૩) વિક્રમો.ની નાન્દીમાં શિવ(પરમાત્મા) વાચક વિશેષણો (ફંડ, ઇ પુરુષ:, ) પુરુરવાનાં વાચક છે, એવું આગળ સૂચિત છે અને સિદ્ધ કરેલ છે. અહીં પુરુરવા ગંધર્વતુલ્ય છે. એ પણ સિદ્ધ કરેલ છે. આવી રીતે અથર્વવેદાન્તર્ગત “ગન્ધર્વ' શબ્દ પણ “પરમાત્મા' કે “જીવાત્મા'નો વાચક છે. આમ અહીં અથર્વવેદ (૨.૨)માં ગન્ધર્વ-પરમાત્માનાં વિશેષણ અને વિક્રમો. અંતર્ગત પુરુરવાનાં શિવતુલ્ય સૂચિત વિશેષણોમાં કેટલું સાદશ્ય (સામ્ય) છે, તે નીચે મુજબ પ્રસ્તુત છે:
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy