________________
148
રસીલા કડીમા
SAMBODHI
આ શીખ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. હર્ષદ મહેતા વખતનો સટ્ટાનો ફેવર આપણે માટે અજાણ્યો નથી જ. ઈ. સ. ૧૮૬૩માં બરાબર આવી જ પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી અને એનું તાદશ વર્ણન કવિશ્રી દલપતરામની રચેલી “શેરના સ્વમાની ગરબીઓમાં જોવા મળે છે.
આ સમયે ખુદ દલપતરામ કવિ પણ પ્રિય મિત્ર ફાર્બસની સલાહને અવગણી, સટ્ટાને રવાડે ચડેલા અને ખુવાર થયા હતા. તેની સ્વાનુભવની કથા પણ એમના જીવનચરિત્રમાં જોવા મળે છે. તેમાં જ આ સિવાય પણ અન્ય નાના પદમાં આ જ વિષયવસ્તુને નિરૂપવામાં આવેલ છે જે એ પહેલાં બુદ્ધિપ્રકાશમાં પ્રકટ થયેલ. વાચકોના માટે આ કૃતિ રસપ્રદ નીવડશે તેમ ગણી આ સાથે એને પણ મૂકું છું. ગરબીઓમાં આ જ વાત ખૂબ જ વિસ્તૃત રીતે કરવામાં આવી છે જે વર્ણન તાજેતરના હર્ષદ મહેતાના સમયને જ જાણે પ્રતિબિંબિત કરે છે. આવું વાચન પ્રશ્ન કરે છે કે–શું history repeats?,
પાદટીપ : ૧. દલપતકાવ્ય ભા. ૧ (પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) આ. ૨ સન્ ૧૮૯૬ પૃ. ૨૩૩થી ૨૩૭ ૨. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ વિ. ૧ ૩. (પ્રકાશકઃ હીરાલાલ પારેખ, ગુ વન. સોસાયટ) આ. ૧ ઈ. સ. ૧૯૩૨, પૃ. ૨૫થી ૨૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org