SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સટોડિયાની ગહૂંલિ સંપા. રસીલા કડીઆ પ્રસ્તુત કૃતિની નકલ લા. દ. ભા. વિદ્યામંદિર, અમદાવાદના ત્રૂટક પુસ્તકો પરથી કરી છે. પ્રતપરિચય : પત્ર સ્થિતિ : શ્રેષ્ઠ : ૨૫ સે. મી. X ૧૨.૫ સે. મી. માપ અક્ષરો : ૩૨ પંક્તિ : ૧૦ કડી : ૧૩ હાંસિયાની બન્ને બાજુ ઊભી લીટીઓ લાલ શાહીથી દોરેલ છે. વળી, ભલે મીંડુ, સટોરીઆની ગુંહળી, દંડ, ધ્રુવપદ, અંકસંખ્યા તથા ‘ઇતિ સંપૂર્ણ' વગેરે લખાણ લાલ શાહીથી લખ્યા છે. પ્રસ્તુત કૃતિના અંતે કવિએ પોતાનું નામ ‘કેશવ' આપ્યું છે. ‘લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદને કવિશ્રી કેશવ શીવરામ ભોજકે પોતાના ઘરનો જ્ઞાનભંડાર ભેટ આપ્યો હતો. તેઓએ નાટકો પણ લખ્યાં છે. ‘સુમતિવિલાસ લીલાવતીરાસ' તેમની જાણીતી કૃતિ છે. તેઓ ધાર્મિક સૂત્રો ભણાવતાં. સાથે તેમણે લેખનનો શોખ. ભારત સ્વતંત્રતા પ્રાપ્ત કરે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. કૃતિની ભાષા જોતાં, તે નિઃશંક વીસમી સદીની જણાય છે ચાંદી, પેટી અને જોટો જેવા ‘સટ્ટા’ના વ્યવસાયમાં પ્રયોજાતા શબ્દો ખાસ ધ્યાન ખેંચે છે. Jain Education International સટોડિયાને ઉદ્દેશીને આ કૃતિ લખાઈ છે. સટ્ટાનું સ્વરૂપ કેવું છે અને તેનો પાસ વ્યક્તિના જીવન તથા ચારિત્ર્યને કેટલી હદે નીચે લઈ જઈ શકે છે તે સુપેરે સમજાવ્યું છે. સટ્ટામાં એકવાર વગર મહેનતનો પૈસો મળે પછી હરામના પૈસાનો કેવો ચસ્કો લાગે છે અને વ્યક્તિ તેમાં ઘરબાર વગરનો થઈ જાય છે. સ્ત્રી-બાળકો નિરાધાર બને છે. દુઃખની પરાકાષ્ટા તો એ છે કે મરણ બાદ વ્યક્તિ ખાપણ પણ પામતી નથી. આમ જણાવી કવિ શીખ આપે છે કે સટ્ટાને શત્રુ ધારી તેનાથી દૂર રહેવું અને મહેનત કરી બીજા ઉત્તમ ધંધા કરવા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy