________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર
109
૨.૧૭); ગીતા–૨.૨૦, સરખાવો કઠ ઉપ. ૨.૧૮; ગીતા–૨.૧૯, સરખાવો કઠ ઉપ. ૨.૧૯. “ઇંદ્રિયો ઊંચે સ્થાને (૫) ઉત્તમ છે, ઇંદ્રિયોથી મન ઊંચું છે; મનથી બુદ્ધિ ઊંચે સ્થાને છે, અને જે બુદ્ધિથી પણ પર (ઊંચે) છે તે, તે (આત્મા) છે” (ગીતા-૩.૪૨); સરખાવો કઠ ઉપ. ૩.૧૦. “જેઓનું તે અજ્ઞાન, આત્મા વિશેના જ્ઞાને નાશ કર્યું છે તેઓનું તે ઊંચા પ્રકારનું જ્ઞાન સૂર્યની (સૂર્યપ્રકાશની જેમ પ્રકાશ પાથરે છે.” (ગીતા-૫.૧૬). “(એ જોય–જાણવા લાયક તત્ત્વ : બ્રહ્મ) ભૂતોની (પ્રાણીઓની) બહાર તથા અંદર છે, તે અચર (સ્થિર) અને ચર (ફરતું હોય તેમ) પણ છે, પરંતુ તે સૂક્ષ્મ હોવાથી નહીં જાણી શકાય એવું છે; પણ તે દૂર પણ રહ્યું છે અને નજીક પણ છે.” (ગીતા–૧૩.૧૫); સરખાવો ઇશ ઉપ. ૫. “ઊંચે મૂળવાળા અને નીચે ડાળીઓવાળા અવ્યયને (ફેરફાર ન થાય એવાને) (લોકો) અશ્વત્થ (સંસાર-વૃક્ષ) કહે છે. જેનાં પાંદડાં, છંદો (વેદ-ઉપનિષદ, વગેરે) છે, જે તે (વૃક્ષને) તેમ જાણે છે તે વેદને જાણનારો છે” (ગીતા ૧૫.૧);
સરખાવો કઠ ઉપ. ૬.૧.. (b) આવા ચાલ્યા આવતા પરંપરાગત જ્ઞાન કે શેય તત્ત્વના વિચારોમાં જ્યાં કોઈકવાર વચ્ચે સાકાર
કૃષ્ણ-તત્ત્વના વિચારો જોડી દીધા હોય છે, તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. જો કે ગીતાના પહેલા અધ્યાયના તથા બીજા અધ્યાયના શ્લોકો ગીતાના તાત્ત્વિક વિચારોની પૃષ્ઠભૂમિકા રચે છે. તેથી તે સિવાય અન્યત્ર, ગીતા. ૩.૨૨થી સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિચારોની શરૂઆત થાય છે, જેમ કે “હે પાર્થ, ત્રણે લોકમાં મારે કર્તવ્ય નથી; અપ્રાપ્ત કે પ્રાપ્ત કરવાનું કાંઈ નથી; (છતાં) કર્મોમાં જ હું વર્તી (વૃત્તિ ધરાવું) છું. (ગીતા–૩૨૨). ગીતા–૩:૨૨-૨૪ (કુલ ત્રણ) સાકાર-કૃષ્ણ–તત્ત્વના શ્લોકો શ્લોક ૨૧ અને ૨૫માં વચ્ચે આવી જવાથી શ્લોક ૨૧ અને ૨૫નો સ્વાભાવિક સંબંધ જોખમાય છે. ગીતા-પ.૨૮ “......જે ઇચ્છા, ભય, ક્રોધ વગરનો છે તે હમેશાં મુક્ત છે” એમ ઉપસંહાર કર્યા પછી, ગીતા-૫.૨૯ “સર્વે લોકોના મહેશ્વર (મહાન ઈશ્વર ?), યજ્ઞ અને તપના ભોગવનારા, સર્વે ભૂતોના સુહૃદ–એવા મને–સાકાર-કૃષ્ણ તત્ત્વને જાણીને (ત) શાંતિ પ્રાપ્ત કરે છે”—એવા સાકાર-કૃષ્ણ–તત્ત્વના શ્લોકની આવશ્યકતા રહેતી નથી ! એ રીતે ગીતાના છઠ્ઠા અધ્યાયના ઉપસંહારમાં, યોગી ઊંચા પ્રકારની ગતિએ જાય છે. (શ્લોક ૪૫) અને હે અર્જુન, તું આવો ઉત્તમ યોગી થા (શ્લોક ૪૬), એવું જણાવ્યા પછી અંતે; “.....જે શ્રદ્ધાવાળો મને–