SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 108 બંસીધર ભટ્ટ SAMBODHI આવા આ સમૂહોનો, ગીતાના અન્ય વિચારો કે શ્લોકો સાથે અને તે સમૂહોમાં રહેલા શ્લોકો સાથે–તત્ત્વો સાથે–પરસ્પર શો સંબંધ હોઈ શકે તે વિશે અમે અહીં વિવેચન કરવા માગીએ છીએ. અમારી વિશ્લેષણ-પ્રક્રિયા કંઈક જુદી પણ ઘણી રીતે અમારાં મંતવ્ય સાથે–પરિણામની દષ્ટિએ—માલીનારનાં મંતવ્યો મળતાં રહ્યાં છે. તે પણ અમે દર્શાવ્યું છે. આ શ્લોક–સમૂહોમાંથી ચાર સમૂહો તો ગીતા-ગ્રંથમાં અને તેના વિચારોમાં નવાં સ્તરો દર્શાવે છે. આ શ્લોક-સમૂહોનું વિશ્લેષણ (I) દર્શાવીએ તે પહેલાં અમે ગીતાના ૧-૧૮ અધ્યાયોનું પ્રાથમિક દૃષ્ટિએ વિશ્લેષણ (I) દર્શાવવા માગીએ છીએ. (b) અમે મૂળ વિષયની ચર્ચા કરીએ તે પહેલાં એક આવશ્યક બાબતની અહીં સ્પષ્ટતા કરીએ છીએ. સંસ્કૃત કે પ્રાકૃત કે પાલિ ભાષાના ગ્રંથોનો કે શ્લોકોનો હિંદી, મરાઠી, બંગાળી કે ગુજરાતી જેવી ઇંડો-આર્યન–સમૂહની ભાષાઓમાં અનુવાદ સરળ છતાં અસ્પષ્ટ રહી જાય છે! આવી ભાષાઓમાં થતા અનુવાદમાં મૂળ સંસ્કૃત શબ્દો જ વધારે પડતા યોજાય છે; પણ તેવા અનુવાદમાં સીધા જ લઈ લીધેલા મૂળ તત્સમ શબ્દો, કયા અર્થમાં વપરાયા છે, તેની સ્પષ્ટતા થવી જ જોઈએ. તેમાં પણ ઉપનિષદો, ગીતા, અન્ય ભાષ્યો, વ્યાકરણ, વગેરે જેવા તાત્ત્વિક ગ્રંથોના આધુનિક ભાષામાં થતા અનુવાદમાં તો તત્સમ કે તદ્દભવ (સંસ્કૃત) શબ્દો કે શબ્દ–સમૂહો તો અવશ્ય વિશદ વિવરણ કે વિવેચન માગી લે છે. પ્રાચીન સમયમાં રૂઢ શબ્દો કયા કયા અર્થમાંથી પસાર થઈ રહ્યા છે તે આધાર સાથે દર્શાવવું તે પાલિ–પ્રાકૃત–સંસ્કૃતના પ્રોફેસર, રીડર કે લેક્ટરની પ્રાથમિક ફરજ થઈ પડે છે. અમે પ્રસ્તુત લેખમાં આ બાબત લક્ષ્યમાં રાખી છે. - I સામાન્ય દૃષ્ટિએ વિશ્લેષણ સમગ્ર ગીતાના વિચારો પ્રથમ દૃષ્ટિએ કુલ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. (૧) તાત્ત્વિક વિચારોનું પરંપરાગત જ્ઞાન, જેમાં સાકાર કૃષ્ણ–તત્ત્વનો જરા પણ ઓપ નથી લાગ્યો. (૨) તાત્ત્વિક વિચારોમાં સાકાર-કૃષ્ણ તત્ત્વના ઓપ વાળું જ્ઞાન, અને એવા જ ઓપવાળું વિજ્ઞાન. આ બંને વિભાગોની, સંક્ષેપમાં, વિસ્તૃત વિવેચનમાં ઊતર્યા વિના, થોડીક સ્પષ્ટતા નીચે કરવામાં આવે છે. (૧) તાત્ત્વિક વિચારોનું પરંપરાગત જ્ઞાન : આ વિભાગમાં “પરંપરાગત જ્ઞાન,” એટલે તેમાં હજી સામાન્ય રીતે, સાકાર-કૃષ્ણ-તત્ત્વ જેવા વિશિષ્ટ ભક્તિપરક વિચારોનો સમાવેશ થયા વગર, એ જ્ઞાન ઔપનિષદ કે સાંખ્યના વિચારો વ્યક્ત કરે છે. તેમાં ગીતાના ૧-૬ અધ્યાય અને ૧૩-૧૮ અધ્યાય સમાઈ જાય છે, જેમ કે : “આ આખું જગત જેના લીધે વિસ્તાર પામેલું છે, તેને તું અવિનાશી (ત) તરીકે ઓળખ. એ અવ્યય (ફેરફાર ન થાય એવા) તત્ત્વનો નાશ કરવા કોઈની શક્તિ નથી” (સરખાવો ગીતા
SR No.520777
Book TitleSambodhi 2004 Vol 27
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy