________________
128
કમલેશકુમાર છે. ચોક્સી
SAMBODHI
અચેતન પ્રકૃતિને સ્વામી દયાનન્દ સૃષ્ટિનું ઉપાદાન કારણ સ્વીકારે છે.
આમ, ઈશ્વર, જીવ અને પ્રકૃતિ વિશેની સ્વામી દયાનન્દની આ પાયાની માન્યતાઓ છે. આ ત્રણેય એક બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે; અને સૃષ્ટિ-ચક્રનું સંચાલન કરવા સારું ક્યો કયો ભાગ ભજવે છે; તે સ્વામી દયાનન્દ મુજબ કંઈક આ રીતે જોઈ શકાય : “અચેતન એવા પ્રકૃતિરૂપ ઉપાદાનકારણમાંથી, ચેતન જીવો (=અનેક)ના શુભાશુભ કર્મોનાં ફળોને ભોગવવા સારુ ઈશ્વર સૃષ્ટિ રચે છે.” ઈશ્વર અને જીવઃ
ઉપર જોયું તેમ ત્રણ અનાદિ પદાર્થો છે; તે પૈકી પ્રકૃતિ તો અચેતન હોઈ તે કોઈ પ્રકારના કર્મની કર્તા બની શકતી નથી. જ્યારે ઈશ્વર અને જીવ – એ બે ચેતન હોઈ, તેઓ કર્મના કર્તા હોઈ શકે છે; બની શકે છે. અલબત્ત, ઈશ્વર પોતાના સામર્થ્ય મુજબનાં કર્મોનો કર્તા છે; જ્યારે જીવ એના પોતાના સામર્થ્ય મુજબ જે તે કર્મોનો કર્તા હોય છે. ઈશ્વરનું કાર્ય :
સ્વામી દયાનન્દના મંતવ્ય મુજબ ઈશ્વરના ત્રણ કાર્યો છે - સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહાર. પુરાણો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામની ત્રિવિધ દેવતા-શક્તિથી જે ત્રિવિધ કાર્યો થતા હોવાનું જણાવે છે; તેને ઈશ્વરૈત્વવાદી સ્વામી દયાનન્દ આ રીતે મૂકી આપે છે.
ઈશ્વર સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારરૂપ કર્મોમાં જોડાતો હોવા છતાં, તે પોતાના સ્વભાવ મુજબ બંધનમુક્ત જ રહે છે, એટલે કે કોઈ ફળનો ભોક્તા બનતો નથી. પોતાની માન્યતાને તેઓ આ રીતે પ્રસ્તુત કરે છે -
નાસ્તિક: જો ઈશ્વરને જગતનો કર્તા અને જીવોનાં કર્મોનાં ફળોનો દાતા માનશો, તો ઈશ્વર પ્રપંચી થઈને દુઃખી થઈ જશે.
આસ્તિકઃ ભલા અનેકવિધ કર્મોના કર્તા અને પ્રાણીઓનાં ફળોનો દાતા, ધાર્મિક, ન્યાયાધીશ, વિદ્વાન કર્મોમાં નથી ફસાતો અને નથી પ્રપંચી બનતો, તો પરમેશ્વર અનન્ત સામર્થ્યવાળો પ્રપંચી અને દુઃખી કેમ કરીને થશે?” - (સત્યાર્થપ્રકાશ, પૃ. ૨૯૫-૨૯૬)
આ રીતે ઈશ્વરને જગતનો કર્તા, ધર્તા અને સંહર્તા માનવા છતાં તે તે કર્મોના ફળથી તે નિર્લિપ્ત રહે છે; એમ એમનું માનવું છે.
બધા જ ભારતીય-દર્શનો કે જે ઈશ્વરને સૃષ્ટિકર્તા, ધર્તા અને સંહર્તા માને છે; આ ઉપર્યુક્ત મત સાથે જ સંમત છે. ઈશ્વરમાં સૃષ્ટિકર્તુત્વ હોવા છતાં તેના ફળનો ભોગ ઈશ્વર બનતો નથી. જીવ અને તેનું કર્મ :
સ્વામી દયાનન્દ જીવની સત્તાને ઈશ્વરની સત્તા કરતાં જુદી માને છે. સંખ્યાની દૃષ્ટિએ તેમનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org