________________
Vol. XXVI, 2003
વૈશેષિક દર્શનમાં કર્મવિચાર
113
અકૃતાભ્યાગમ' એવું અભિધાન આપે છે. ખરેખર તો જેણે કર્મો કર્યાં તેણે જ તેનાં ફળ ભોગવવાં જોઈએ. અને તે તો ત્યારે જ શક્ય બને કે શરીરના નાશથી તેનો પણ નાશ ન થાય. અર્થાત્ આત્મા એ એક શરીરના માધ્યમથી કર્મો કર્યા, થોડાંનાં ફળ ભોગવ્યાં. પણ શરીર નાશ પામ્યા પછી પણ અદૃષ્ટને માન આપવા માટે તે તો છે જ. આમ, આત્મા નિત્ય છે એમ માનવું પડે. આ રીતે કર્મના
સિદ્ધાંતના આધારે પણ આત્માની નિત્યતા સાબિત થાય છે. (૨) સાંખ્ય અને જૈન દર્શનની જેમ વૈશેષિક દર્શન પણ આત્માઓ અનેક છે એમ માને છે. અને તે માટેનું
વૈશેષિક સૂત્ર છે વ્યવસ્થાતુ નાના ભાષ્યકારો અને ટીકાકારો આ સૂત્રના આધારે આત્માના નાનાત્વને સિદ્ધ કરવા જે અનેક દલીલો આપે છે એમાંની એક કર્મનો સિદ્ધાંત - કે અદષ્ટ પણ છે. એક સમયે કેટલાક મનુષ્યો સુખી અને કેટલાક દુઃખી હોય તેમ જોવા મળે છે. એ સહુ પોતપોતાનાં કર્મોના કારણે છે. હવે જો એક જ આત્મા હોય તો બધાં જ સુખી કે દુઃખી હોત, એકના મોક્ષથી સહુનો મોક્ષ થાત પણ એમ નથી. પૂર્વજન્મનાં કર્મોના વિપાકની દશ્યમાન અને અનુભૂયમાન ભિન્નતા
આત્માની અનેકતા સિદ્ધ કરે છે. (૩) અદષ્ટ, આત્માનો વિશેષ ગુણ છે. હવે આત્મા કર્મફળને શરીરથી વિષયોના સંગ દ્વારા જ ભોગવે
છે. બીજા શબ્દોમાં કહીએ તો જગત એ જ તેની ભોગભૂમિ છે. વૈશેષિક દર્શન કહે છે કે ખરેખર તો આત્માના આવા ભોગને શકય બનાવવા માટે જ જગતની રચના થઈ છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુના પરમાણુઓમાંથી આ આત્માની ક્રીડાભૂમિ એવું જગત સર્જવામાં જીવાત્માઓનું અદૃષ્ટ નિમિત્ત કારણ છે. આમ, કર્મનો સિદ્ધાંત વિશ્વની ઉત્પત્તિને જ નહીં પણ તેના પ્રયોજનને પણ સિદ્ધ કરે છે. અદૃષ્ટના કારણે પરમાણુઓનું વ્યવસ્થિત સંચાલન થાય છે. એટલું જ નહીં પણ જડ પદાર્થોની ગતિ પણ શક્ય બને છે. જેમકે ચુંબક પ્રત્યે સોયનું આકર્ષાવું કે વૃક્ષના મૂળમાંથી પાણીનું
ઉપર ચડવું એમાં પણ અદૃષ્ટ નિમિત્ત કારણ છે. (૪) જીવાત્માઓ અસંખ્ય અને એમનાં કર્મો પણ અસંખ્ય, તેથી ફળ પણ અસંખ્ય. અદૃષ્ટ દ્વારા એની
વ્યવસ્થા થાય છે. પણ કર્મ અને તેના ફળની આ જાળ એટલી તો વ્યાપક અને જટિલ છે કે અદૃષ્ટ એનું બુદ્ધિપૂર્વક સંચાલન ન કરી શકે. આમ જુઓ તો તે તો એક ગુણયુગ્મ (ધર્મ-અધર્મ) છે, અચેતન છે. તેનામાં આવી ક્ષમતા સંભવે નહીં. સાંપ્રત ભાષાને અપનાવી કહીએ કે અદૃષ્ટ તો એક કૉપ્યુટર છે. તેમાં કર્મફળ સંગૃહીત થયા છે પણ તેનું નિયમન કરનાર, તેને ઓપરેટ કરનાર તો કોઈ ચેતન અને જાણકાર હોવો જોઈએ. અને તેથી વૈશેષિક આચાર્ય પ્રશસ્તપાદ ઈશ્વરનો સ્વીકાર કરે છે. અદષ્ટ અનુસાર પ્રાણીઓને ફળ આપવા માટે ઈશ્વરનો નિમિત્ત કારણ તરીકે સ્વીકાર કરવો જ રહ્યો એમ
તેમનો મત છે. આમ કર્મનો સિદ્ધાંત ઈશ્વરસિદ્ધિ માટે પણ એક સાબિતી પૂરી પાડે છે. (૫) કર્મનાં ફળ જીવાત્માને કયારે, કયાં અને કેવાં મળશે તેનો વિચાર કરતાં એમ લાગે છે કે જયારે
સમય પાકે છે ત્યારે જીવાત્મા જ્યાં હોય ત્યાં તેને ફળ મળે છે. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે અદષ્ટ વિભુ એટલે કે સર્વવ્યાપી હોય. અદૃષ્ટ આત્માનો ગુણ છે. તેથી એ ન્યાયે આત્મા પણ વિભુ છે એમ માનવું રહ્યું. આમ, આ સિદ્ધાંત એક રીતે આત્માની વિભુતા પણ સાબિત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org