SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વસંત પરીખ સંસ્કાર, ધર્મ અને અધર્મને સાથે ગણી એક માનવામાં આવેલ છે. ઇચ્છા આત્માને સુખ પ્રાપ્ત કરવા અને દુઃખ દૂર કરવા પ્રેરે છે. અને પછી પ્રયત્ન એટલે કે કર્મ થાય છે. આત્મા તો અમૂર્ત છે. એટલે આ કર્મ તે શરીર-મન અને ઇન્દ્રિયના માધ્યમથી(ઝં. પ્રોક્સી)થી કરે છે. આત્મા મન સાથે જોડાય છે. મન, ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય પોતાના વિષય સાથે જોડાય છે. ઇન્દ્રિયનો વિષય સાથેનો સંયોગ મનને અનુકૂળ સંવેદાય તો તે સુખ છે અને પ્રતિકૂળ સંવેદાય તો તે દુઃખ છે. આ ક્રમથી આત્માને થતો સુખદુઃખનો સાક્ષાત્કાર તે ‘ભોગ’ છે. કર્મથી તે સધાય છે. 112 SAMBODHI પરંતુ કર્મ તત્કાળ ફળ આપે અને ન પણ આપે, શરીર નાશ પામ્યા પછી પણ કેટલાક કર્મનાં ફળ ભોગવવાનાં બાકી રહી જાય એમ પણ બને. આ ઉપરાંત કર્મ તો નાશવંત છે. તો તેના ફળની કર્મનાશોત્તર શી સ્થિતિ ? આ સમસ્યાના સમાધાન માટે વૈશેષિકોએ ‘અદૃષ્ટ’નો સિદ્ધાંત સ્વીકાર્યો છે. ધર્મ અને અધર્મ તે જ અદૃષ્ટ છે. કર્મ સારું-શાસ્રમાન્ય અને પુણ્ય હોય તો તે ધર્મ અને ખરાબ-શાસ્ત્ર વિરુદ્ધ અને પાપ હોય તો તે અધર્મ છે. આ ધર્મ-અધર્મ ‘અદૃષ્ટ’ છે॰. કારણ કે તેમાં કર્મનાં ફળ આપવાની ક્ષમતા પ્રચ્છન્ન રૂપે રહે છે. યોગ્ય સમયે તે કર્તાને નવું શરીર લેવા અને ફળને ભોગવવા બાધ્ય કરે છે. અદૃષ્ટને મીમાંસા વગેરે અન્ય કેટલાંક દર્શનોમાં પણ ‘અપૂર્વ’ એ નામે પ્રતિપાદિત કર્યું જ છે. અષ્ટના સંચાલનથી જન્મ અને મૃત્યુનું સંસારચક્ર ચાલ્યા કરે છે. બદ્ધ જીવાત્મા એ ચક્રમાં આવાગમન કર્યાનો આભાસ અનુભવે છે. પરંતુ આ સંસારભ્રમણ અને રમણમાં કોઈ સુભગ પળે તેને ભોગ પ્રત્યે નિર્વેદ જાગે છે. વૈશેષિક મત પ્રમાણે સુખ પણ દુ:ખ રૂપ જ નીવડે છે. મધ ભરેલા ઘડામાં વિષના બિંદુ ભળી ગયા હોય તેમ સુખમાં દુઃખ ભળેલું છે. જે કર્મો ભોગસાધક હતા તે જ કર્મો હવે તેને તેમાંથી છૂટવા પ્રેરે છે. હવે ઇચ્છા અને પ્રયત્ન એ ગુણોની અપેક્ષાએ જ્ઞાન બલવત્તર બને છે અને તે સાથે જ આત્મા પોતે મિથ્યાજ્ઞાનને લીધે ભોગલીલામાં રમમાણ થયો છે તેની સભાનતા જાગે છે અને તેના મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. રાગ, દ્વેષ, મોહ જેવા દોષો ખરી પડે છે. હવે વિષયો પ્રત્યેની દોડ અટકે છે. નવા કર્મ બંધાવાનું બંધ થાય છે અને અદૃષ્ટના થેલામાં રહેલાં અવશિષ્ટ કર્મોને તપ અને યોગના પ્રભાવથી એકીસાથે ભોગવી પૂર્ણતયા નષ્ટ કરતા, આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. આ જ અપવર્ગ છે. એ જ તો પરમ શાંતિની સ્થિતિ છે. કર્મનો સિદ્ધાન્ત આમ આત્માની સંસારયાત્રા અને તેની પૂર્ણાહુતિ બંનેને સિદ્ધ કરે છે. (૨) પરંતુ આવું નિરૂપણ રીતિભેદે લગભગ અન્ય દર્શનોમાં પણ છે જ. વૈશેષિક દર્શન એટલે તો એને બહુ ઊહાપોહ કર્યા વિના સ્વીકારી લે છે. પણ તેને તો આ સિદ્ધાંતનો ઉપયોગ આગળ કહ્યું તેમ પોતાના કેટલાક અન્ય મહત્ત્વના સિદ્ધાંતોને સિદ્ધ કરવામાં કરવો છે. તે હવે સંક્ષેપમાં જોઈએ. (૧) ‘અદૃષ્ટ’ કર્મસિદ્ધાતનું નાભિકેન્દ્ર (અ. ન્યુક્લીયસ) છે. મનુષ્ય અગણિત કર્મો કરે છે. શ૨ી૨કાળ દરમ્યાન કેટલાંક કર્મોનું ફળ તે ભોગવે છે. બાકીના કર્મફળનું શું ? જે ભોગવતું હતું તે શરીર તો નાશ પામ્યું છે. હવે જો બીજો કોઈ તેના શરીરથી તે ભોગવશે એમ કહો તો તે તો અન્યાય થશે. અને હવે ભોગવવા નહીં પડે તેમ કહો તો પણ અનુચિત થશે. શાસ્ત્રો આ સ્થિતિને ‘કૃતહાન’ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy