________________
Vol. XXVI, 2003
વૈશેષિક દર્શનમાં કર્મવિચાર
lal
આગળ જોયું તેમ આ દર્શન પદાર્થોના સમ્યફ જ્ઞાન-તત્ત્વજ્ઞાનને સહુથી વિશેષ મહત્ત્વ આપે છે. પ્રત્યેક દર્શન પોતે સ્વીકારેલી પદ્ધતિથી પહેલી દષ્ટિએ અસંખ્ય લાગતા પદાર્થોનું વર્ગીકરણ કરી અમુક ચોક્કસ સંખ્યાના પદાર્થો પસંદ કરી શેષનો એમાં અંતર્ભાવ કરતા રહ્યા છે. એ રીતે વૈશેષિક દર્શન પ્રારંભે છે અને પછીથી અભાવ નામનો સાતમો એમ સાત પદાર્થો સ્વીકારે છે. મહર્ષિ કણાદ અને મુનિ પ્રશસ્તપાદ માત્ર ત્રણ પદાર્થોને જ સાચા અર્થમાં પદાર્થો માને છે. દ્રવ્ય, ગુણ અને કર્મ. આ ત્રણેયને વાસ્તવિક રીતે (આ ઓજેક્ટીવલી) પ્રમાણી શકાય છે. આમ, વૈશેષિક દર્શને “કર્મ ને એક સ્વતંત્ર પદાર્થ તરીકે મહત્તા આપી છે. હવે સામાન્ય રીતે શાસ્ત્રના સંદર્ભમાં જ્યારે કર્મનો ઉલ્લેખ થાય ત્યારે તેને સારું-ખરાબ, નૈતિક-અનૈતિક એવા દૃષ્ટિબિંદુથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અહીં પણ વૈશેષિક દર્શન બીજાથી અલગ પડે છે અને કર્મનું આવા કોઈ પર્યાયથી અસ્પૃષ્ટ એવું લગભગ વૈજ્ઞાનિક લક્ષણ આપે છે. વૈશેષિક સૂત્ર આ લક્ષણ આમ આપે છે. “જે એક દ્રવ્યમાં રહે છે, જે ગુણ નથી, અને જે સંયોગ તથા વિભાગનું અનપેક્ષ કારણ છે તે કર્મ છે. અર્થાત, પૃથ્વી, જલ, તેજ, વાયુ વગેરે દ્રવ્યોમાં કર્મ એફસમયે કોઈપણ એક દ્રવ્યમાં રહે છે. આ દ્રવ્ય પૂર્વ સ્થાન સાથેનો સંયોગ છોડી-એટલે કે તેનો વિભાગ કરી ઉત્તરદેશ સાથે જે સંયોગ સાધે છે, તેનું જો કોઈપણ કારણ હોય–તો તે કર્મ છે. એમ તો ગંધ, સ્પર્શસંયોગ વગેરે ગુણો પણ દ્રવ્યમાં રહે છે. તેમાં સંયોગ પણ ક્રિયા આધારિત છે. જેમકે એક પક્ષી વૃક્ષ પરથી ઊડીને કોઈ મકાનની બારી પર બેસે તો ત્યાં પૂર્વ દેશના સંયોગનો વિયોગ અને ઉત્તરદેશ સાથેનો સંયોગ થાય છે. આથી સંયોગ-ગુણ હોવા છતાં કર્મ કહેવાશે. એટલે કે અહીં લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવશે. આ દોષ નિવારવા જ કર્મના લક્ષણમાં “જે ગુણ નથી તે” એવું વિશેષણ ઉમેર્યું છે. કર્મ સંયોગ વિભાગનું કારણ-શાસ્ત્રીય ભાષામાં અસમવાય કારણ છે, - સ્વયં સંયોગ કે વિભાગ નથી. આ ઉપરાંત “જે ચલનાત્મક છે તે કર્મ છે” “જે સંયોગથી ભિન્ન હોઈ સંયોગનું અસમવાય કારણ છે. તે “કર્મ છે". એવાં લક્ષણો પણ છે.
આ સર્વ લક્ષણોનો ફલિતાર્થ એટલો જ કે કર્મ એટલે ગતિ-ચલનાત્મકતા. કર્મ હંમેશા કોઈ ને કોઈ દ્રવ્યનું આશ્રિત છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો દ્રવ્ય કર્મનું સમવાય કારણ છે. કર્મ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. કર્તાના અભાવમાં કર્મ ન હોય. અને કર્તાની ક્રિયા પૂરી થતાં કર્મ પણ રહેતું નથી. નર્તક નૃત્ય કરવાનું બંધ કરે એટલે નૃત્ય સમાપ્ત થાય છે. પણ નર્તક, એક વ્યક્તિ તરીકે તો રહે જ છે. વળી જડ દ્રવ્યમાં પણ જે ગતિ થાય છે તેમાં પણ કોઈ ચેતનનું જ યોગદાન હોય છે. દડો ઊછળે છે પણ એને ઉછાળનાર કોઈ છે. અરે, નદી વહે છે, ગ્રહો તારાની આસપાસ ઘૂમે છે તેમાં પણ આગળ જોઈશું તેમ પરમ ચૈતન્ય એવા ઈશ્વરનો જ સંકેત છે !
હવે કર્મની આવી વિભાવનાને કર્મના સિદ્ધાંત સાથે કઈ રીતે સાંકળી શકાય તે જોઈએ. આત્મા - એટલે કે જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપે તો નિર્ગુણ છે. વળી તે નિત્ય અને વિભુ એટલે કે સર્વવ્યાપી છે. તેથી તેમાં કર્મને અવકાશ નથી. પરંતુ આત્મા અજ્ઞાન અને મોહના કારણે પોતાના સ્વરૂપને વીસરી ગયો છે. અન્ય પદાર્થો સાથે ભ્રામક અભેદ કલ્પીને તે ભોગ અને પછી જ્ઞાન સમ્યક થતા અપવર્ગ માટે ક્રિયાશીલ બને છે. વૈશેષિક દર્શનમાં આવા આત્મામાં આઠ વિશેષ ગુણો સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છે. જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, ધર્મ, અધર્મ, પ્રયત્ન અને ભાવના નામનો)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org