SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિક દર્શનમાં કર્મવિચાર વસંત પરીખ ચાર્વાક દર્શન સિવાયના પ્રાયઃ સર્વ ભારતીય દર્શનોમાં મોક્ષ કે અપવર્ગને જીવનની પરમ ઉપલબ્ધિ માનવામાં આવે છે. વૈશેષિક દર્શન પણ નિઃશ્રેયસને અર્થાત્ મોક્ષને જ અંતિમ ધ્યેય માને છે. આત્મા અવિવેકને લીધે અનાત્મ પદાર્થો સાથે પોતાનો અભેદ કલ્પી અહંપ્રત્યયથી કર્તાભાવ અનુભવતો દુઃખ-પ્રધાન એવા સંસાર ચક્રમાં ફસાય છે. તેમાંથી ઊગરવાનો પ્રથમ અનિવાર્ય ઉપાય તે પ્રત્યેક પદાર્થનું સમ્યફ જ્ઞાન છે. આ જ્ઞાનયાત્રામાં કેટલાંક અવાંતર પણ મહત્ત્વના સિદ્ધાંતો પણ હાથ લાગે છે. તેમાં કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાન્ત અત્યંત પ્રસિદ્ધ છે. વૈશેષિક દર્શન પણ આ સિદ્ધાંતને સ્વીકારે છે. એટલું જ નહીં પણ આ દર્શન આ સિદ્ધાંતને સિદ્ધ કરવાનો પણ ખાસ પ્રયત્ન કરતો નથી. કોઈ અન્ય પ્રસંગની ચર્ચામાં જરૂર પડે તો થોડી દલીલો કરી લે છે. વૈશેષિક દર્શન વ્યવહારમૂલક અને વાસ્તવવાદી દર્શન છે. એટલે શકર શક્ય હોય ત્યાં સુધી સામાન્ય સાદી સમજણથી જ આગળ વધે છે. તર્ક, દલીલ કે એવી અન્ય બાબતોમાં તે મુખ્યત્વે તેના સમાનતંત્ર એવા ન્યાયદર્શનના મતને સ્વીકારી લે છે. કર્મના સિદ્ધાન્ત અંગે પણ તેની આવી જ સીધી સાદી સમજણ છે કે કર્મનું ફળ તો મળે જ છે એ તો અનુભવથી સમજાય એવું છે. હવે કર્મો તો અસંખ્ય છે તેથી સઘળાં કર્મોનું ફળ એક જ જન્મમાં મળે એમ તો શક્ય જ નથી. જેટલાનું ફળ મળ્યું તે તો ભોગવ્યું પણ શેષ કર્મફળ ભોગવવાનું શું? નિશ્ચિત રૂપે તે માટે પુનર્જન્મ લેવો પડે એટલે કે આત્માએ નવું શરીર ધારણ કરવું પડે. અન્ય દર્શનોમાં જોવા મળતા કર્મના પ્રકાર અને પેટા પ્રકારો, જે તે કર્મના વિપાકનો કાળ અને અમુક કર્મનું અમુક ફળ એવી વ્યવસ્થા વગેરેની ચર્ચાથી વૈશેષિક દર્શન પ્રાયઃ દૂર રહ્યું છે. તેની વ્યવસ્થામાં મૂળ સિદ્ધાંત જ પૂરતો થઈ પડે છે. આ રીતે જોતાં તો એમ જ લાગે કે તો પછી વૈશેષિક દર્શનને કર્મના સિદ્ધાંત વિશે તેના સ્વીકાર ઉપરાંત કાંઈ ખાસ કહેવાનું નથી, પરંતુ સાવ એમ નથી. કર્મ વિશે આ દર્શનનો એક અનોખો અભિગમ છે. અન્ય દર્શનો કેટલાક અગત્યના સિદ્ધાંતો કે ગૃહીતોના આધારે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને સિદ્ધ કરવાનો ઉપક્રમ કરતા જોવા મળે છે. ત્યારે વૈશેષિક દર્શન કર્મના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી તેના આધારે કેટલાક અન્ય પ્રમુખ સિદ્ધાન્તોને સિદ્ધ કરવાનો અભિગમ અપનાવે છે. આ એની વિશેષતા છે. તેનું નિરૂપણ કરતા પૂર્વે એક બીજી મહત્ત્વની વાત પણ નોંધવી જરૂરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy