SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 108 કાનજીભાઈ એમ. પટેલ SAMBODHI ઉત્પન્ન થાય છે. પાંચ ઈન્દ્રિયો અને મન એ ષડાયતન છે. પડાયતનનું કારણ નામરૂપ છે. ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ એ સ્પર્શ છે. ભોગની અવસ્થા ઉત્પન્ન થાય તે પહેલાંની અવસ્થા વેદના છે. ભોગની કામના કરવી એ તૃષ્ણા છે. ભોગોને દઢ રૂપે ગ્રહણ કરવાની અવસ્થા ઉપાદાન કહેવાય છે. ઉપાદાનનું અનાગત ફળ ભવ છે. ભવ અર્થાત પુનર્જન્મ ઉત્પન્ન કરનાર કર્મ બે પ્રકારનાં છે. કમ્પભવ અને ઉત્પત્તિભવ. પુનર્જન્મ જેનાથી થાય તે કમ્પભવ જે જે ઉપાદાનને કારણે વ્યક્તિ જે જે લોકમાં જન્મ પામે છે તે ઉત્પત્તિભવ. અવિદ્યા અને સંસ્કાર પૂર્વજન્મની કર્મશક્તિઓ એટલે કે કમ્પભવ છે જે સંકલિત થઈને વર્તમાન ભવ (ઉત્પત્તિ ભવ) નિશ્ચિત કરે છે. વર્તમાન જીવનના વિજ્ઞાન, નામરૂપ, પડાયતન, સ્પર્શ, વેદના એ બધા તેના વિપાક રૂપે છે. તે પછી વર્તમાન જીવનના બાકીના ત્રણ તૃષ્ણા, ઉપાદાન, ભવ ઉત્પન્ન થાય છે. તે સ્વયં કર્મ બની જાય છે. તેમનો વિપાક ભવિષ્યમાં પુનર્જન્મ રૂપે થાય છે અને પછી ત્યાં જરા-મરણ અને દુઃખની સન્નતિ ઉત્પન્ન થાય છે; જે વર્તમાન જીવનના કર્મવિપાક વિજ્ઞાન, નામરૂપ, પડાયતન, સ્પર્શ, વેદના, આમ- અતીત ભવના પાંચ હેતુ, વર્તમાન ભવના પાંચ ફળ અને પાંચ હેતુ તથા ભાવિ ભવના પાંચ ફળ છે. આ ભવચક્રનું મૂળ અવિદ્યા અને તૃષ્ણા છે. અતીત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળ છે. અને ત્રણે કાળના બે, આઠ અને બે અંગ છે. દષ્ટિ ચરિતવાળાને અવિદ્યા અને તૃષ્ણા ચરિતવાળાઓને તૃષ્ણા આ સંસારમાં લાવે છે. તેમાં અવિદ્યા અને સંસ્કાર એ બે અતીત કાળના અંગ છે. વિજ્ઞાનથી ભવ સુધીના આઠ અંગ વર્તમાન કાળના છે અને જાતિ તથા જરા-મરણ આ બે ભવિષ્ય કાળના અંગ છે. આ ભવચક્ર ત્રણ સન્ધિવાળું છે. ચાર પ્રકારના સંગ્રહવાળું, વીસ પ્રકારના આરાવાળું અને ત્રણ કાળવાળું નિરંતર ચક્કર કાપે છે. સંસ્કાર અને પ્રતિસન્યિ વિજ્ઞાનની વચ્ચે એક હેતુ-ફળ-સન્ધિ માનવામાં આવેલ છે. વેદના અને તૃષ્ણા વચ્ચે એક હેતુફળ સન્ધિ તથા ભવ અને જાતિ વચ્ચે એક હેતુફળ સન્ધિ માનવામાં આવેલ છે એ રીતે ભવચક્ર ત્રણ સન્ધિવાળું છે. ભવચક્રના ચાર સંગ્રહ હોય છે. જેમ કે અવિદ્યા અને સંસ્કારનો એક સંગ્રહ, વિજ્ઞાન, નામરુપ, પડાન્તન, સ્પર્શ અને વેદનાનો બીજો સંગ્રહ, તૃષ્ણા ઉપાદાન અને ભવનો ત્રીજો સંગ્રહ અને જાતિ, જરામરણ વગેરેનો ચોથો સંગ્રહ. ભવચક્રના વીસ આરા છે. અતીત ભવના પાંચ હેતુ, વર્તમાન કાળના પાંચ ફળ, વર્તમાન કાળના પાંચ હેતુ અને અનાગત ભવના પાંચ ફળ. अतीते हेतवो पञ्च इदानिं फलपञ्चकं । इदानिं हेतवो पञ्च आयति फलपञ्चकं ।। અતીત ભવનાં અવિદ્યા અને સંસ્કાર હોય તો તૃષ્ણા, ઉપાદાન અને ભવનું ગ્રહણ થાય છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy