________________
Vol. XXVI, 2003
બૌદ્ધ દર્શનમાં ભવચક્ર
107
એક અન્ય નામ-રૂપ ઉત્પન્ન થાય છે. તે સંસરણ કરે છે. મૃત્યુ સમયે જેનો અંત થાય છે તે એક અન્ય નામ-રૂપ હોય છે અને પુનર્જન્મ કરે છે તે અન્ય નામ-રૂપ હોય છે. પણ દ્વિતીય નામ-રૂપ પ્રથમ નામરૂપમાંથી નીકળે છે.
આ રીતે વિજ્ઞાન પ્રતીત્ય સમુત્પન્ન છે. અંતિમ વિજ્ઞાન (ચેતના)ના વિલયથી બીજા જન્મના પ્રથમ વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એથી ન તો તે તે જ જીવ હોય છે ન તો અન્ય. આ જ પ્રતીત્ય સમુત્પાદને હેતુ-પ્રત્યયને આધારે સમજી શકાય છે. હેતુ એટલે મૂળ કારણ અને પ્રત્યય એટલે ઉપકારક - “મૂનન તું, પારદ્ પવૂયો તિ ”
પ્રતિત્યસમુત્પાદની ૧૨ કડીઓથી આ ભવચક્ર ચાલે છે. તેના પ્રારંભની ખબર પડતી નથી. અવિદ્યાના પ્રત્યયોથી સંસ્કાર, સંસ્કારના પ્રત્યયોથી વિજ્ઞાન ..... આમ હેતુ અને ફળની પરંપરા ચાલ્યા કરે છે. તેનો અંત આવતો નથી. માટે જ હેતુ અને ફળના સંબંધથી ચાલતા બાર અંગોવાળા ભવચક્રના પ્રારંભનો ખ્યાલ આવી શકતો નથી.
દુઃખની ઉત્પત્તિ કેમ થાય છે? દુઃખ તો કાર્યકારણની એક કડી છે. આ શૃંખલા અવિદ્યાથી શરૂ થાય છે. આમ તો આ શૃંખલાનો આદિ કે અંત નથી. પણ તેને સમજવા માટે અવિદ્યાને પ્રથમ કડી માનવામાં આવી છે. “અવિદ્યાને કારણે સંસ્કાર છે એથી અવિદ્યાથી તેનો પ્રારંભ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે અવિદ્યા જ તેમાં મુખ્ય છે. અવિદ્યાથી ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખો ઉત્પન્ન થાય છે. અવિદ્યાનો નાશ કરવાથી મોક્ષ થાય છે. અવિદ્યાના નિરોધથી સંસ્કારનો નિરોધ થાય છે. એટલે એને ગ્રહણ કરવાથી બંધન અને છોડવાથી મોક્ષ થાય છે માટે તેનું બીજું નામ ભવચક્ર છે. તે પ્રધાન છે, પણ પ્રારંભ નહી. એટલે આ ભવચક્રનો પ્રારંભ જાણી શકાતો નથી.
શરીર ધારણ કરવું એ જરા-મરણનું કારણ છે. શરીર ન હોય તો જરા-મરણ પણ ન હોય અર્થાત્ જન્મગ્રહણ યા જાતિ એ દુઃખનું કારણ છે. પ્રતિત્યસમુત્પાદ પ્રમાણે તો જન્મનું પણ કારણ હોય. જન્મનું કારણ ભવ છે. જન્મ ગ્રહણ કરવા માટેની પ્રવૃત્તિને ભવ કહી શકાય. આ પ્રવૃત્તિ અવિદ્યાને કારણે હોય છે. અવિદ્યાથી સંસ્કાર, સંસ્કારથી વિજ્ઞાન, વિજ્ઞાનથી નામરુપ, નામરૂપથી પડાયતન, પડાયતનથી સ્પર્શ, સ્પર્શથી વેદના, વેદનાથી તૃષ્ણા, તૃષ્ણાથી ઉપાદાન, ઉપાદાનથી ભવ, ભવથી જાતિ, જાતિથી જરા-મરણ, શોક-દુઃખ આદિ ઉત્પન્ન થાય છે. આમ સંસાર પ્રવૃત્તિ ચાલતી રહે - એ ભવચક્ર છે.
ક્ષણિક, દુઃખદ, અસાર અને વિષયોને સુખદ, સાર અને ઉપાદેય સમજવા એ અવિદ્યા યા મિથ્યાજ્ઞાન છે. આ જ જન્મનું મૂળ છે. આ અવિદ્યા સંસ્કારોને જન્મ આપે છે. કુશળ અને અકુશળ કાયિક, વાચિક અને માનસિક કાર્યોની ચેતનાઓ એ સંસ્કાર છે. તે પુનર્જન્મનું કારણ બને છે. પ્રતિસન્ધિ ચિત્ત એ જ વિજ્ઞાન છે. વિજ્ઞાનને કારણે મનુષ્યો આંખ, કાન, જીવ આદિ વિષયક અનુભૂતિ થાય છે. વિજ્ઞાનથી માંડીને ષડાયતન સુધીની અવસ્થા નામરૂપ છે. ગર્ભસ્થ ભૂણના શરીર અને મનને નામરૂપ કહે છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન આ પાંચ નામરૂપના સ્કંધ છે. વિજ્ઞાન હોવાથી નામરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org