SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધ દર્શનમાં ભવચક્ર કાનજીભાઈ એમ. પટેલ કર્મ શબ્દનો વ્યાપક અર્થ લઈએ તો મનુષ્ય પોતાની શક્તિને વ્યક્ત કરવા જે જે માનસિક યા શારીરિક ક્રિયાઓ કરે છે તે સર્વનું નામ કર્મ જ છે. બધા ધર્મોમાં મતમતાંતર હોવા છતાં બધાનો સિદ્ધાન્ત તો એક જ છે કે કર્મો અનુસાર જીવ આ પૃથ્વી પર જન્મ લઈ સુખ દુઃખ ભોગવે છે. જેવું બીજ વાવવામાં આવે તેવું ફળ મળે છે. પ્રત્યેક જીવની સાથે કર્મ જોડાયેલ છે. કર્મ બહારથી આવનાર વસ્તુ નથી. એનો વાસ તો મનુષ્યની અંદર જ રહેલો હોય છે. જન્મ લીધા પછી આપણે સતત કર્મ કરતા જ રહ્યા છીએ. શ્વાસ લેવો, સાંભળવું, બોલવું, ચાલવું એ બધાં કર્મો જ છે. મનુષ્ય જે જે કર્મો કરે છે. તે સર્વમાં કંઈને કંઈ હેતુ હોય છે અને તેનાથી પ્રેરાઈ મનુષ્ય અનેક સારા ખોટા કર્મો કરે જાય છે. આમ, કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાન્ત ભારતીય દર્શનોમાં સર્વસામાન્ય છે. પણ ભગવાન બુદ્ધનો પુનર્જન્મનો સિદ્ધાન્ત માત્ર દાર્શનિક નથી. હેતુ અને પ્રત્યયોથી સંચાલિત આ ભવપ્રવાહમાં ભગવાન બુદ્ધ “I' ને સંપૂર્ણ ભૌતિક અને માનસિક વ્યાપારોનું નિયામક તત્ત્વ માન્યું છે. ઈશ્વરવાદી દર્શનોમાં જે સ્થાન ઈશ્વરનું છે તે જૈન દર્શનની જેમ જ બૌદ્ધ દર્શનમાં પણ કર્મનું છે. કર્મ અનુસાર પ્રાણી સુખ-દુઃખ પામે છે. આ વિશ્વની યોજનામાં કર્મ જ મુખ્ય છે - જે જેવું કરે છે તેવું પામે. બૌદ્ધ દર્શન પ્રમાણે પ્રતીત્ય સમુત્પાદનું ચક્ર એટલે કે ભવચક્ર કર્મના નિયમને લીધે ચાલ્યા કરે છે. કર્મ અને વિપાકના પારસ્પરિક સંબંધ અને અન્યોન્યા શ્રિત ભાવને લીધે આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે. कम्मा विपाका वत्तन्ति विपाको कम्मसंभवो । कम्मा पुनब्भवो होति एवं लोको पवत्ततीति ॥ - मजिझम निकाय - ३/१/३ કર્મથી વિપાક પ્રવર્તે છે અને સ્વયં વિપાક કર્મ ઉત્પન્ન કરે છે. કર્મથી પુનર્જન્મ થાય છે. એ રીતે સંસાર ચાલ્યા કરે છે. બુદ્ધના સમયમાં બે અંતિમ વિચાર ધારાઓ પ્રચલિત હતી - એક શાશ્વતવાદ અને બીજો ઉચ્છેદવાદ. બુદ્ધ બને અંતોને છોડી મધ્યમ માર્ગની વાત કરી છે. ઈહલોક અને પરલોકના કલ્યાણની વાત કરી છે. તેમણે સ્વયં તેમના પૂર્વજન્મોનું સ્મરણ કર્યું છે અને કર્મસંચાલિત પ્રાણીઓને જુદી જુદી યોનિઓમાં આવતા-જતા જોયાનું જણાવ્યું છે. તેમણે પોતાને “વિજ્ઞ’ ત્રણે વિદ્યાઓના જાણકાર કહ્યા છે. ભગવાન બુદ્ધના અનેક શિષ્ય-શિષ્યાઓને પુનર્જન્મ સંબંધિ જ્ઞાન હતું એમ “તિસ્તો વિજ્ઞા અનુપત્તા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy