SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 152 કલ્પના કનુભાઈ શેઠ SAMBODHI સરણકીયા ચ્યારે વલી, જેહથી સુખ પરમત્ય, ગતિ થ્યારિના દુખ મેટિવા જેહ સદા સમરત્ય. ૨૪ આઠમી ઢાળમાં પુંડરીકમુનિ શુદ્ધ ચારિત્ર પાલન કરી સાંસારિક સુખોને તુચ્છ ગણી તેના પરથી મન અળગું કરી સંયમમાં સ્થિર રહી ધ્યાન-જપ-સાધનામાં નિરંતર અડગ અને એકાગ્ર બની અંતિમ કાળને કેવો દીપાવે છે તેનું વર્ણન તેમાં આવતી સ્વાનુકારી શબ્દરચનાને લીધે વિશેષ આસ્વાદીય બન્યું છે. ઈમ ખાંમી સિગલાહી જીવનઈ, નિજ પાતક આલોંય, મન શુદ્ધઈ દે મિચ્છામિ દુક્કડમ્ રિષિ પુછત ઉપર લોય. ૧ પુંડરીક મુનિવર નિતુ વંદીયઈ, ત્રિકરણ શુદ્ધઈ ત્રિકાલ, નિત નિત નાંમ જપતાં જેહનઉ, ભાઈ ભવ જંજાલ. સરવારથ સિદ્ધઈ જઈ ઉપનઉ, તેત્રીસ સાગર આયઉં, ચંવીય તિહાંથી ખેતવિદેહ કંઈ લહિસ્યઈ શિવ રિલિ ચડે. ૩ જે શુદ્ધ ચરિત્ર લઈ તેનું પાલન કરે છે, કેવા અલૌકિક સુખો પ્રાપ્ત કરે છે તે મોટી વાત પણ અતિ લઘુતાપૂર્વક નિરૂપી છે તે કવિની કથનકલાનું સૂચક છે. ઈમ જે ચારિત લઈ પાલિસ્ટઈ, તે લહિસ્યઈ બહુ સુકખ, પુજ્ય હસ્યઈ ઈહ ભવિ સહુલોકનઈ, પરભવિ વરસ્યઈ મુર્ખ. ૪ આઠમી ઢાળની છેલ્લી કડીઓમાં કવિ પોતાની ગચ્છ પરંપરાને વર્ણવે છે. કાવ્યની પ્રશસ્તિમાં કાવ્યની રચના સંવત ૧૭૦૩ પોષ સુદ સાતમના અમદાવાદ નગર મધ્યે થઈ હોવાનું જાણવા મળે છે. અંતમાં કવિ પોતાના ગુરુ અને પોતાના નામનો ઉલ્લેખ કરી કાવ્ય પૂર્ણ કરે છે. કિધઉ સવંત સત્તરતિડોત્તરઈ સુદિ સાતમિ પોસ માસ, રાજઈશ્રી જીનસાગર સૂરિનઈ પહિલઉ એહ પ્રયાસ. ૧૨. પુંડ અહમદાવાદ નગર અતિ દીપલઉ જિહાં શ્રીસંઘ અનુર, શાંતિનાથ સુપસાયઈ તિહાં કહ્યઉં, અરથ એ અધિક પહર. ૧૩. પંડ સંધિ સુણઉએ માનવ મન દેઈ, રાજસાર કહંઈ એન, ફલઈ મનોરથ માલા નવ નવી, હોવઈ આણંદ ખેમ. ૧૪. પુંડ, આમ આ સંધિકાવ્ય એકાગ્રચિત્તે સાંભળનારના મનોરથો પૂર્ણ થશે અને તે ક્ષેમકુશળતા પ્રાપ્ત કરશે તેવી ઉદાત્ત અને ઉદાર ભાવના પ્રગટ કરી કવિ કાવ્યનું સમાપન કરે છે.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy