________________
રાજસારસ્કૃત પુંડરીક-કુંડરીક-સંધિ
કુંડરીક તિહાં કણિ રહ્યઉં, ન ચલ્યઉ ગુરૂ સંઘાતિ, સિથિલાચારી નિપટતે, ન કરઈ ચારિત્ત તાતિ. ન કરઈ ડિકમણઉ કર્દ, પડિલેહણ પચખાંણ, રાત દિવસ સૂતઉ રહÖ, મિની ન આંણઈ કાંણ.
Vol. XX, 1995-1996
‘જિમ નાખી જઈ જાડકી, વસઈ લાગી ધૂલિ, રાજ રિધિ પ્રભુતા ધણી, તિણ પરિ છોડી મૂલિ.”
૨
આમ છતાં પણ મુનિને ચેન નથી. તે અશોકવાડીમાં જઈ દિલગીર બને છે. મન સાંસારિક સુખો-લાલસા ભોગવવા ઉત્સુક છે પણ જવું કેમ ? એ મુનિના મનની દ્વિધાનું નિરૂપણ કવિએ માત્ર એક જ પંક્તિમાં કર્યું છે તેનું શબ્દચિત્ર પણ નોંધનીય છે.
‘જાઉં ઘર કેહી પરઈ રે, હસસ્યઈ સહ પરિવાર રે...'
છઠ્ઠી ઢાળમાં પુંડરીકરાજા મુનિકુંડરીક પાસે જાય છે, સંસા૨પ્રવેશની વાત મુનિના સ્વમુખે જ કહેવડાવવી, પોતે દીક્ષા માટે તત્પર થવું, રાજ્યભાર કુંડરીકને સોંપી તેને રાજ્યપદે સ્થાપવો વગેરે પ્રસંગો આ ઢાળમાં અતિ સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે જે કવિની કથનકલાના સામર્થ્યની, કવિની છટા અને તેને અપાયેલા હૂબહૂરૂપની ઘોતક છે. પુંડરીકરાજાએ રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ કેવી રીતે છોડી તેનું કવિએ સુરેખ અને સ્પષ્ટ ચિત્ર ઉપસાવેલું છે.
૧
તે તીવ્ર વેદન નઈ વસઈ, કરિ કાલ માસઈ કાલ, સાતમઈ નરગઈ ઉપનઉ, દુખ જિહાં અસરાલ.
કવિએ સાતમી ઢાળમાં કુંડરીક રાજા સાંસારિક સુખો ભોગવવામાં મસ્ત છે, આહા૨નું કોઈ ભાન નથી, મનનાં પરિણામો અતિ રૌદ્ર છે, ત્યારે તેમની કેવી દુર્ગતિ થઈ તેનું તારણ પણ અતિ ચોટદાર અને માર્મિક રીતે કવિએ વર્ણવ્યું છે.
151
સાતમી ઢાળના અંતમાં કવિ પુંડરીક મુનિના શુદ્ધ ચારિત્રની ઝાંખી કરાવે છે. જેનું મન વૈરાગ્યભાવથી રંગાયેલું છે, જેને શુદ્ધ ચારિત્રપાલનની ઝંખના છે તેવા પુંડરીકમુનિ કેવું શુદ્ધ ચારિત્ર પાળે છે તેનું માર્મિક અને રસાળ ભાષામાં કરેલું વર્ણન કવિની વર્ણનશક્તિની ઝાંખી કરાવે છે. પુંડરીકમુનિના નિર્મળ જીવનની ઝાંખી કરાવતું તાદશ ચિત્રાત્મક આલેખન પણ સુન્દર છે.
સઝાય ધ્યાન કીયા ક૨ઈ, સેવઈ સુગુરૂના પાય,
રાતિ નઈ દિન ઇણિ પર રહઈ, સીધઈ મોક્ષ ઉપાય.૧૬
વ્રત ગ્રહી છઠ કરી પારણઈ, પાંડુર્યઉ લે ગુરુ આંણ, ત્રીજઈ પહુરઈ ગોચરી, જીણવર વચન પ્રમાંણ.
૧૭