SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XX, 1995-1996 વડનગરનો સમ્મતિય સંઘારામ આમ જ્યારે આચાર્ય મહોશયક આ પ્રતિમા લાવ્યા ત્યારે આ સંઘારામ નવો તૈયાર થતો હતો કે જૂનો હતો એ પ્રશ્નનો ઉત્તર અહીંથી મળેલાં નીલ-લોહિત પ્રકારની સમાનતા ધારણ કરતાં માટીનાં વાસણોના અવશેષો આપે છે. 127 આ પ્રમાણને આધારે અહીં જૂનો સંધારામ હતો તેમાં અનુકૂળતા મળતાં ચૈત્ય તૈયાર થયો અને આ પ્રતિમાની તેમાં સ્થાપના થઈ. દેવની મોરીના સમુદ્ગકના લેખને આધારે ત્યાં પ્રથમ મહાવિહાર બંધાયો હતો અને ત્યાર બાદ મહાતૂપ તૈયાર થયો હતો. આ હકીકત પરથી અહીં પ્રથમ સંઘારામ અને પછી ચૈત્ય થયો હોવાનો અભિપ્રાય આપી શકાય. આ અભિપ્રાયને પુષ્ટ કરતાં અન્ય પ્રમાણો જોતાં સામાન્ય રીતે લોકોનો વસવાટ પ્રથમ શરૂ થાય અને ત્યાર બાદ તેની નજીક દેવસ્થાન તૈયાર થાય એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. અમદાવાદના જૈન ચૈત્યોનાં અધ્યયન પરથી પણ આ હકીકત સમજાય છે. અહીં ઘર દેરાસર પછી શ્રીસંઘનાં દેરાસરોનું નિર્માણ થતું હોવાનાં ઘણાં પ્રમાણો છે. સામાન્યતઃ જૈન લોકોનો વસવાટ શરૂ થાય ત્યાર બાદ શ્રાવકોને ત્યાં ઘર દેરાસરનો સ્થાપના અને ત્યાર બાદ તેનો વિકાસક્રમ દેખાય છે; તેવી અન્ય સંપ્રદાયોમાં પણ પ્રવૃત્તિ હોય છે. તેથી વસવાટ થયા પછી ઇષ્ટદેવની સ્થાપના થવાની પ્રવૃત્તિ ઘણી જગ્યાએ સમજાય છે. તદુપરાંત ઔ બૌદ્ધ સંઘારામનું નગરના કેન્દ્રસ્થ ભાગથી દૂર પરાં જેવા સ્થળે અસ્તિત્વ હોવાની વાત પણ પ્રાચીન નગરરચના તથા અત્યારની પ્રવૃત્તિ પરથી લાગે છે. સામાન્યતઃ સંન્યસ્ત પર ભાર મૂકનાર સંપ્રદાયો નગર બહારનાં પરાં વિસ્તા૨માં પોતાનાં કેન્દ્રો વિકસાવે છે. આ કેન્દ્રો મુખ્ય વસતી સાથે સરળતાથી સંબંધ ૨હે તેટલાં દૂર હોય છે, કારણ કે તેમનો નિર્વાહ ભિક્ષા પર હોઈ ભિક્ષાર્થે જવા આવવાની સગવડ રહે તેવો પ્રબંધ કરવામાં આવે છે. આવાં પ્રમાણો દેવની મો૨ી, કપિલવસ્તુ જેવાં સ્થળોએ દેખાય છે તથા સાહિત્યમાં પણ આવાં પ્રમાણો ઘણાં હોઈ વડનગરનો સમ્મતિય સંઘારામ આ પરિસ્થિતિ દર્શાવે છે. આમ વડનગરની આ સ્થળ-તપાસથી અહીં યુવાનચ્યાંગે વર્ણવેલા સંઘારામો પૈકી એકીનું સ્થાન નિશ્ચિત થાય છે. તેની નગર આયોજનમાં જે સ્વાભાવિક પરિસ્થિતિ હતી તેનો ખ્યાલ આવે છે અને ભવિષ્યમાં બીજા બૌદ્ધસંઘના અવશેષો મળશે એવી દિશા સૂચવે છે. આભારદર્શન આ લેખમાં ચર્ચેલા મૂર્તિલેખનાં વાચનમાં સલાહ-સૂચન માટે ડોં સી. બી. ત્રિપાઠી ફ્રી યુનિ બર્લિન તથા લક્ષ્મણભાઈ ભોજકનો ઋણ સ્વીકાર કરીએ છીએ. સંદર્ભ : બર્જેસ ઍન્ડ કઝિન્સ આર્કિટેક્ચરલ એન્ટીવિટીઝ ઑફ નોર્થ ગુજરાત, પૃ ૮૨-૮૬. ગૌ. હિ ઓઝા ભારતીય પ્રાચીન લિપિમાલા, લિપિપત્ર ૬,૭,૮,૧૦ શર્મા આર. સી. બુદ્ધિસ્ટ આર્ટ ઑફ મથુરા, આ ૭૯, ૮૦, ૮૧, ૮૨, ૮૫ ઇત્યાદિ.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy