SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસોંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લેફ્સાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. અપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાને પરિચય આપ્યો છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભારતમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો. “સિદ્ધહેમશબ્દાનુશાસન અને દેશીનામમાળા'ને જતાં હેમચંદ્રાચાર્યને આપણે અપભ્રંશ ભાષાના પાણિનિ કહી શકીએ. ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માગતા કાળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી કેશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહીં, પરંતુ વિદ્વાને માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય .. कोशस्येव महीपानां कोशस्य विदुषामपि । . उपयोगेो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ ' “રાજાઓને (દ્રવ્ય) કેશનો અને વિદ્વાનોને પણ (શબ્દ)કોશનો ઘણે ઉપયોગ Lહોય છે. તેના વિના તે બંનેને અત્યંત વિટંબણું પડે છે”૧૭ હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ, “અનેકાર્થસંગ્રહ અને નિઘંટુશેષ'—એમ ત્રણ સંસ્કૃત ભાષાના કેશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે દેશીમમાળા' અને રયણાવલિની રચના કરી છે. “અભિધાનચિંતામણિ” એ ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો છે, વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ ' આ કેશની સામગ્રી અભ્યાસીઓને ઉપગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે. ' જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન આ શબ્દો આપવા માટે હેમચ દ્રાચાર્ય “અભિધાનચિંતામણિ”ની રચના કરી. જોકે “અમરકોશ’ ' કરતાં દોઠ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ” કરતાં વધુ મળે છે. “અમરકેશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાનચિંતામણિમાં સૂર્યને ૭૨, કિરણના ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭૫ અને અગ્નિના ૫૧ પર્યાયે ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. - “અભિધાનચિંતામણિની કુલ સંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છ કાંડ મળે છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિય ચો, પાંચમામ નારકીને જીવો
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy