SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચંદ્ર ! તારું ચાંદ્ર વ્યાકરણ સાર વગરનું છે એટલે તારી વાત પણ કરતો નથી. જ્યાં સુધી હેમચંદની અર્થગંભીર મધુર વાણું આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંડાભરણાદિ બીજા વ્યાકરણ ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે ?૧૨ સિદ્ધહેમશબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરીકે રહેમલિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તે અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજાં લિંગાનુશાસન કરતાં આ કતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી લાગે છે. પદ્યબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકેશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ—એમ ત્રણેય લિંગમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. "શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યું છેદોનુશાસનની રચના કરી, પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતું. “કાવ્યાનુશાસન” અને “છંદનુશાસનને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક એમ. વિન્ટરનિટ્ઝ “The Life of Hemachandracharya પુસ્તકના આમુખમાં નોંધે છે : "Hemachandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kāvyānus'āsana and the Chandonus’āsana, each accompanied by the author's own commentary."43 - * * જ સંસ્કૃત ભાષામાં ઈદેનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાકૃત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણ હેમચંદ્રાચાર્યો યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ, કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, સ્વોપણ કાવ્યદષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતે મળે છે. તેથી આ ગ્રંથનું એતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા દેની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છંદશાસ્ત્રને અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છંદોની શાસ્ત્રીય વિવેચના એક માત્ર “છંદોનુશાસનમાંથી મળી રહે છે. વળી અર્વાચીન છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છંદોનો સંકર કરી રહ્યા છે તેમ જ ગણિતદષ્ટિએ વર્ણગણના ફેરબદલા કરી અનેક નવા છંદોની લેજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યો કરી છે. ૧૪ " એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણું પાણિનિએ પિતાની વ્યાકરણ “અષ્ટાધ્યાયી' દ્વારા પૂર્વ પરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણ
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy