SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ના. મહેતા પ્રક્રિયાથી સમજાય છે. પરંતુ મેહમુદ બેગડાના રાજ્ય પહેલાંના અમીરે પપૈકી કોઈના નામે સચવાયાં નથી. તેથી તેમના વસવાટ અમદાવાદમાં કયાં થયા હતા તે બાબતે પ્રમાણમાં ઓછી માહિતી મળે છે. પરંતુ અનુમાનથી આ બાબત વિચાર કરતાં સાબરમતીના ભદ્રથી દક્ષિણના ભાગમાં તેમણે જમાલપુર વિસ્તારમાં વસવાનું પસંદ કર્યું હોવાનું લાગે છે, કારણકે મેહમુદ બેગડાનાં વખતના ખાનજહાનનું સ્થાન જમાલપુરની દક્ષિણ છેડે છે. - આ યુગ પહેલાં આશાવલની પાસે ભંડેરપુરામાં મુસલમાન સતે રહેતા હોવાના પુરાવાઓ છે. તેમના આવાસ પણ અમદાવાદની આજુબાજુ હતા. તેને છુટો છવાય વિસ્તાર સરખેજ તથા વટવા સુધી દેખાય છે. સરખેજમાં અહમદગંજ ખર્ટના નિવાસ પાસે અહમદસરની રચના અહમદશાહે કરી હતી. પરંતુ રાજનગર અમદાવાદ પાસે સરોવરની ખોટ હતી. ગુજરાતની રાજધાની અણહીલવાડ પાટણ પાસે સહસ્ત્રલિંગનું તળાવ સુલતાનના સમયમાં જીર્ણોદ્ધાર પામ્યું હોવાનાં એંધાણ છે. તે પ્રમાણે બીજી રાજધાની ળકાનું સુંદર તળાવ વાધેલા સમય દરમિયાન ઘાટેથી. સુમિત થયું હતું. તેની સરખામણીમાં અમદાવાદ પાસે સારાં તળાવની બેટ હતી તે પૂરવા માટે કુતુબુદ્દીને પ્રયત્ન કર્યો. - આ પ્રયત્ન માટે તેને તળાવના આકારને નમુને ધોળકાનાં એને ઘાટના મલાવતળાવે પૂરો પાડ હોય એમ લાગે છે. કારણ કે પાટણનું પંચણ સહસ્ત્રલિંગ કે વિરમગામનું મુનસર જુદા ઘાટનાં છે. જોળકાનાં મલાવ તળાવની સાથે હીજે-કુતુબ અથવા કાંકરિયાનું રૂ૫ સાધમ્ય અને ધોળકાનાં મલાવ તળાવનું પુરોગામીવ જતાં આ અનુમાનને બળ મળે છે. કુતુબુદ્દીને કાંકરિયા તળાવ બાંધવા માટે સારું સ્થળ પસંદ કર્યું. - કાંકરિયા તળાવની આજુબાજુ રેતના ટીંબા હતા તેથી ત્યાં મૂળ નાનું બેડું હેવાને સંભવ છે. આ સ્થળે રેતના ટીબાની નીચે કાંકરા જામેલા હોય છે, તેનું પણ અસ્તિત્વ હશે. તેથી આ કાંકરાવાળા વિસ્તારમાં બાંધેલાં તળાવનું નામ હૌજે-કુતુબ માત્ર ગ્રંથમાં સચવાયું, પણ તેનું કાંકરિયા નામ વધારે પ્રચારમાં રહ્યું. આ તળાવની વચ્ચે નગીનાવાડી સવાર થઈ છે. આ રચના પણ ગુજરાતનાં તળાવોમાં અન્યત્ર જોવામાં આવે છે. અહીલવાડ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પર તળાવની વચ્ચે પુલ પર થઈને મંદિર જવાને માર્ગ છે, આવી રચના મલાવ તળાવ પર છે. તે અને તળાવોની રચનાનાં આ અંગ પરથી કાંકરિયાની નગીનાવાડી કે નગીના બાગની કપને ઉદ્ભવી હોવાને પૂરત સંભવ છે. આ તળાવ તૌયાર કરનાર કુતબુદ્દીનના વખતમાં સંભવતઃ ભદ્ર તેમ જ તેની પૂર્વના વિરતાર વધ્યા હતા અને તેથી સુલતાને આરામ માટે પણ આ રચના કરી હોય , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy