SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ના. મહેતા આવનાળાંઓ રેલ વખતે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવે છે એમ નદીકાંઠાના ઉજજડ તથા શહેરી વિસ્તારના ભાગો દર્શાવે છે. વડોદરામાં રેસમાં દાંડિયા બજાર, મચ્છીપીઠ જેવા નીચાણના વિસ્તારો, સુરતમાં પાણીની ભીત જેવા વિસ્ત રે કે ભરૂચમાં 7 ચાણવાળા ભાગમાં આવી પરિસ્થિતિ દેખાય છે, કારંજમાં અને અમદાવાદના નીચાણવાળા ભાગોમાં આવા પાણી ભરાય એ સ્વાભાવિક પરિસ્થિતિ છે. વરસાદ વધારે હોય અને ઉપરવાસમાંથી ઘણું પાછું આવ્યું છે ય ત્યારે તેની અસર હેઠળ નાળ એ છલકાતાં હોઈ તે સારું જેવું નુકશાન કરતાં હોય છે, એટલું જ નહીં પણ તેનાં છેતરમાં પાણીનું પ્રવાહનાં નિશાને હેય છે. તે ભેખડે પર પણ હોય છે તેવી પરિસ્થિતિ માણેક, કાગદ એળ વગેરે વિસ્તારોમાં છે તેથી નદીના પ્રવાહૂને બદલવાની ઐતિહાસિક કપનામાં વિશેષ તથ્ય નથી. અમદાવાદ આગળ મૂળ સાબરમતી નદીને પ્રવાહ ઐતિહાસિક કાળમાં બદલાયું નથી અને તેથી તેની નૈસર્ગિક સ્થિતિમાં એલીસબ્રીજ પાસે ભેખડે આશરે ૧૨ મીટર, નેહરૂ પુલ પાસે ૫ મીટર, ગાંધી પુલ પાસે ૧૧ મીટર, સુભાષ પુલ પાસે ૧૦ મીટર છે. આમ નદીની ભેખડે પાસે નદીના ઢોળાવો અને કાંઠાના ટેકરા તપાસતાં મૂળ મુખ્ય પ્રવાહને મળતાં નાળાં અને કાંસનાં દર્શન થાય છે તેણે અમદાવાદના વિકાસમાં ભૂમિકા પુરી પાડી છે. આટલી ચર્ચા પરથી અમદાવાદના વિકાસમાં ભૂપૃષ્ટ માટેની હકીકતે સપષ્ટ થઈને તેને બળે વિકસેલી અતીતની નદીની અને તેના પ્રવાહની કલ્પનાની સત્યાસત્યતા સમજાય છે. આપણે ત્યાં મુખ્ય નદી અને મોટા નાળાં ને નામ આપવાનો રિવાજ જોવામાં આવે છે. અમદાવાદમાં “ચંદ્રભાગા આવું નામ છે. ત્યાં તે પ્રવાહ રાણીપ પાસે નીકળીને વાડજ પાસે સાબરમતીને મળે છે. તેવી રીતે અમદાવાદ ૫ સેનાં મેટાં નળને માણેકનદી નામ આપ્યું હોવાની બાબત શંકા રાખવાનું કારણ નથી. માત્ર આ એક જ નામ નહતું. ખારૂ નાળું બીજાં નામો પણ કાતરોનાં હતાં એમ સ્થળ-નામે દર્શાવે છે, પ્રવાહોનાં નામ આપવાની પ્રક્રિયાને ઘણાં નમુના એ સ્થળ-મહાપે, સ્થ–પુરાણોમાં સચવાયેલાં જોવામાં આવે છે, તે બાબત અંગુલિ નિર્દેશ અરો પૂરતો છે. તેથી અમદા નાદમાં વિકસેલી અતિહાસિક ક૫તાઓમાં નાળાંને નદીનું નામ આપવાની પરંપરા સમજાય છે, તથા રેલ વખતે કારંજમાં આવતા પ્રવાહ પણ સ્પષ્ટ થાય છે, અને મેહમુદ બેગડાએ કે અહમદ શાહે કોઈ નદીને પ્રવાહ બદલ્યો હોય એમ માનવાને કે ઈ કારણ નથી એમ પણ સમજાય છે. પદમપુરાણુમાં અમદાવાદને વિસ્તારમાં સ્થળે' સાભ્રમતી માહામ્યમાં વર્ગવ્યાં છે તેનું અધ્યયન પણ નદીને પ્રવાહ બદલાયે હેય એમ દર્શાવતું નથી તેથી અમદાવાદની સ્થાપના અને વિકાસની કથા વધારે સપષ્ટ થાય છે. અમદાવાદની સ્થાપના સુલતાન અહમદ શાહ મુઝફફરીએ કરી એ સામાન્ય હકીકત છે. પરંતુ તેનાં સ્થાપના ચેકસ વર્ષ વિષે ઉપલબ્ધ પુરાવાઓ પરથી ઘણે વિવાદ ચાલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy