________________
તરંગલોલા સ્વજનોનું આગમન
તે વેળા, પરિજનો પાસેથી સમાચાર જાણીને અમારા બંનેનાં માતાપિતા બધા પરિવારની સાથે આવી પહોંચ્યાં. (૧૫૬). હે ગૃહસ્વામિની ! અમે પ્રવજ્યા લઈ લીધી એવું સાંભળીને સ્ત્રીઓ અને પુરુષ, બાળકો ને વૃદ્ધો ઉચાટ કરતાં આવવા માંડવા (૧૫૫૭). અમારાં સગાંસંબંધીઓથી તથા અમને જોવા આવનારા બીજા પુષ્કળ લેકેથી તે મોટું ઉપવને ભરાઈ ગયું. (૧૫૫૮). ત્યાં થયેલી ભીડમાં લેકનાં શરીર ઢંકાઈ ગયેલાં હોવાથી માત્ર તેમનાં મેમાથીની હારની હાર જ નજરે પડતી હતી. (૧૫૫૯). પ્રવજ્યા લેવાની તત્પરતાને ભાવથી શોભતા અમને જોઈને બાંધવો અને મિત્રો અત્યંત શોકપૂર્ણ બની ગયા. (૧૫૬૦). અમારા બંનેનાં માતાપિતા રડતાં રડતાં દોડાદોડી આવ્યાં. મારાં સાસુ અને સસરા અમને જોઈને મૂર્ષિત થઈ ગયાં. (૧૫૬૧).
છીનું નિવારણ અને અનુમતિ
જિનવચનોથી જેમની બુદ્ધિ પ્રભાવિત થયેલી છે અને સંસારના સાચા સ્વરૂપને જેમણે જાણ્યું છે તેવાં મારાં માતાપિતા, આંસુના વેગને રોકીને મને કહેવા લાગ્યાં (૧૫૬૨), બેટા! યૌવનના ઉદયકાળે જ આવું સાહસ કેમ કર્યું ? તરુણવયમાં શ્રમણધર્મ પાળવો ઘણું કઠિન છે. (૧૫૬૩). તરુણવયને કારણે રખેને તારાથી ધમની કશી વિરાધના થાય !” કામભોગ ભોગવીને તપ તે પછી પણ આદરી શકાય.” (૧૫૬૪). એટલે મેં કહ્યું, ભેગેનું સુખ ક્ષણિક હેય છે, અને પરિણામ કટુ હોય છે. કુટુંબજીવન પણ અત્યંત દુઃખમય હોય છે. મુક્તિસુખથી ચઢે એવું કોઈ સુખ નથી. (૧૫૬૫). જ્યાં સુધી ન છોડે (2) જ્યાંસુધી સંયમ પાળવાનું શરીરબળ હોય, અને જ્યાં સુધી મૃત્યુ આવીને ઉઠાવી ન જાય ત્યાં સુધીમાં અમારે તપ આચરવું એ જ ઈષ્ટ છે.” (૧૫૬૬). એટલે પિતાએ કહ્યું,
ઇદ્રિારૂપી ચેરથી તારુણ્ય ઘેરાયેલું હોઈને તમે આ સંસારસાગરને નિર્વિને તરી જજો' (૧૫૬૭).
સાથ'વાહની વિનવણી
અમારા બાંધવોએ તેમને આશ્વાસન આપીને વધાવ્યાં. તે વેળા મારા સાસુસસરા મારા પ્રિયતમને વીનવવા લાગ્યાં (૧૫૬૮), “બેટા! કોઈએ તને કઈ કહ્યું? તને અહીં શાની ખોટ છે? શું તને અમારે કઈ વાંક દેખાયે?—જેથી મને ખાટું થઈ જતાં તે પ્રવજ્યા લઈ લીધી? (૧૫૬૯). ધર્મનું ફળ સ્વર્ગ છે, સ્વર્ગમાં યથેષ્ટ ભોગ મળતા હોય છે, અને વિષયસુખને સાર એટલે સુંદરી–આ પ્રમાણે લૌકિક શ્રુતિ છે. (૧૫૭૦). પણ