________________
રત્નસુંદરસૂરિકૃત “સૂડાબહોંતરી અથવા “રસમંજરી
જેન કથા પરંપરામાં દાન, શીલ, તપ અને ભાવ પર અનેક કથાઓ દષ્ટાંત લેખે રચવામાં આવી છે. એમાં “દીલ” ઉપર શીલવાન પુરુષ અને ખાસ કરીને શીલવતી સ્ત્રી ઉપર અનેક કથાઓ રચવામાં આવી છે. ફળસ્વરૂપ શીલો પદેશમલા બાલાવબોધ', “ધર્મોપદેશમલાવિવરણ, ઉપદેશમલાવૃત્તિ' વગેરે જેવા કથાસંગ્રહ સાંપડે છે. આ કથાઓમાં શીલવતી સ્ત્રી સાથે સાથે શલભ્રષ્ટ સ્ત્રી કે બેવફા નારીના ચરિત્રને નિરૂપતી સ્ત્રીચરિત્રની કથાઓ પણ જોવા મળે છે. આમાં સ્ત્રી પ્રકૃતિથી જ કુશીલ અને કપટી હોવાનું નિરૂપણ મળે છે.
આવી સ્ત્રીચરિત્રની કથાને સંગ્રહ તે સંસ્કૃતમાં રચાયેલ “શુસપ્તતિ છે. એમાં શક (પિપટ) દ્વારા કહેવાતી સિત્તેર કથાઓ-સ્ત્રીચરિત્રની કથાઓ જોવા મળે છે. “શુકસપ્તતિના હાલ બે સંસ્કરણ ઉપલબ્ધ છે. એક તે “સાધારણ (Similicior) અને બીજુ પરિષ્કૃત” (ornatoor). “સાધારણના ર્તા કઈ જૈનમુનિ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જે મૂળગ્રંથ પ્રાકૃતમાં હોવાનું સૂચવે છે. “અકસપ્તતિને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે એમના ગશાસ્ત્રમાં #reત્તત્તિશૈલી, નાગંધૈવ એમ કર્યો છે. જે પણ “શૃંગારપ્રકાશમાં પણ નિદર્શન નામના સાહિત્ય પ્રકારના ઉદાહરણ તરીકે–પ્રવાન મિશ્ર કપૂર––મારી’ એવો ઉલ્લેખ કર્યો છે. જેનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે “કાવ્યાનુશાસનમાં પણ કર્યો છે. “પરિષ્કૃત’ને કર્તા બ્રાહ્મણ ચિંતામણી ભર છે. એણે પૂર્ણભદ્ર કૃત ‘પંચતંત્ર” (ઈ. સ. ૧૧૯૯)ના જૈન સંસ્કરણને ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. શક છે કે બેવફા પત્નીઓ–સ્ત્રીચરિત્ર અંગેની કથાઓ પંચતંત્રકારે આ શુકસતતિના કોઈ પ્રાચીન સંસ્કરણના આધારે રચી હોય. “સપ્તતિ’ સાથે સામ્ય ધરાવતે અન્ય ગ્રંથ તે અજ્ઞાતકૃત “સિંદબાદ કથા સંગ્રહ છે. જેના અનેક રૂપાંતરે ભાત તેમજ ભારતેતર પ્રદેશની ભાષામાં થયાં છે.
આ પરંપરાને અનુસરીને મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે પિતાની બરાબહાંતરી કથાગ્રંથની રચના કરી છે. એમાંથી અનેક સંસ્કૃત કથાઓ નીકળી ગઈ છે. અને કેટલીક નવી ઉમેરાઈ છે કે અલ્પપ્રમાણમાં ફેરફારવાળી છે. શામળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org