________________
૧૫
થોડાક વિશિષ્ટ શબ્દો ( અભિધાનચિ તામણિ” અને “અનેકાથસંગ્રહ’. ગત ) જેમ સંસ્કૃત સાહિત્યની એક પરંપરા ચાલી આવી છે તેમ સંસ્કૃત કોષોની પણ એક પરંપરા ચાલી આવેલી જોવા મળે છે. જેમ પૂર્વસૂરિના ગ્રંથમાંથી પ્રેરણા - લઈને ઉત્તરવતી સાહિત્યકાર પોતાની કૃતિ કંડારે છે અને એમાં પિતાની આગવી પ્રતિભાના પ્રાણ પૂરે છે, એ જ રીતે પૂર્વ કેષકારેના ખભે બેસીને ઉત્તરવતી કોશકારે પિતાની પ્રતિભાના બળે નવતર શબ્દસામગ્રી સાંકળી લઈને અભિનવ રચના કરતા જોવા મળે છે, અમર, પુરુષોત્તમદેવ, હલાયુધ, મેદિની વગેરેના પગલે હેમચંદ્રાચાર્યું પણ “અભિધાનચિત્તામણિ” અને “અનેકાર્થસંગ્રહ એ છે કે રયા છે. એમાં કેટલીક નવતર સામગ્રી પણ સાંકળેલી જોવા મળે છે, જે એની પૂર્વેના કોષોમાં નથી મળતી. આવી સામગ્રી એટલે પૂર્વ કેષકારોએ અમુક શબ્દોના જે નવા વિકસેલા અર્થોની નોંધ ન લીધી હોય તેવા શબ્દનો અર્થનિર્દેશ.
ધનપાલની ‘તિલકમંજરી'માં આવા કેટલાક નવતર અર્થોમાં શબ્દ પ્રજાયેલા જોવા મળે છે. શબ્દો તે જૂના છે, પણ એમની અર્થછટાઓ જરા નવતર છે. માત્ર હેમચંદ્રાચાર્યું જ નાંધેલા, અને તેમના પૂર્વે થઇ ગયેલા ધનપાલની “તિલકમંજરી'માં પ્રયોજાયેલા આવા કેટલાક શબ્દો નીચે આપ્યા છે. કેટલીક બાબતમાં એ શબ્દ પ્રાકૃત રૂપમાં પ્રચલિત હોય, અને કેઘકારે સંભવતઃ તેમને જ્ઞાત સાહિત્યિક પ્રયોગોને આધારે તેનું સંસ્કૃત રૂપ આપેલું હોય. શબ્દોની સાથે કસમાં આપેલ સંદર્ભો “તિલકમંજરીની મેં સંપાદિત કરેલી અને લા. દ. વિદ્યામંદિરે પ્રસિદ્ધ કરેલી આવૃત્તિના અનુક્રમે પૃદ્ધ અને પંક્તિના ક્રમાંકે છે : મw ' (૨૩) સ્થિર. સર તારું કમ્પને પુણ્...(અ. ચિં. ૧૪૫૫),
રૂધ્ધ ચલ, ચપલ, અનિત્ય. બR : (૧૫૮.૧૪) એકીસાથે; ક્રમ વિના. યુનત્રનો ક્ર.: (અ. ચિ,
૧૫૧૧) વિપરીત ક્રમ, કમ વિનાનું. અવર : (૨૦૦.૧૨) હુમલે, આક્રમણ. પ્રાકagવક્ષો ધ ચા ને
૨ ૩. (અ. ચિં. ૮૦૦). અગ્રવરફ્રન્ટ [અવસર શિ૦ - 'ધાડ.
છલકપટથી એકદમ છાપ મારવો તે (અપ. એ વંટ). અસર : (૪૮.૨૦) આંસુની ધાર... aut નેત્ર રરર ! અક્ષત્ર...
(અ. ચિ. ૩૦૭) અ અશ્રુ, આંસુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org