SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨]. આગામ-વાચના [ ૮૧ ] (૨) માથુરી વાચના કે જે સ્થવિર શ્રી ઔદિલાચાર્યની નેતાગીરીમાં થઈ. (૩) વલભી વાચના કે જે વાચક શ્રી નાગાર્જુનની દેખરેખમાં થઈ. આ ત્રણ વાચના સંબંધે અત્ર વિચાર કરવાને છે: મધ્ય દે.માં સખત દુષ્કાળ પડવાથી સાધુઓ જુદા જુદા સ્થાનોમાં વિખરાઈ ગયા. આમ થવાથી અભ્યાસમાં વિક્ષેપ પડે અને પરસ્પરમાં થતે વિમર્શ પરામર્શ અટકી ગ. સ્મરણશક્તિ પણ સતેજ થવાને બદલે મંદતાકતિ ડગ ભરવા લાગી. કેટલાક વિદ્વાન સાધુએ કાળના ભક્ય બન્યા અને આચાર વિરાધનાના ભીરૂ કેટલાક મુનિપુગોએ સ્વેચ્છાએ અનશન આદર્યા. વર્ષો બાદ દેશની સ્થિતિ બદલાઈ અને ગમનાગમન પૂર્વવતુ સુલભતાથી આરંભાયુ ત્યારે ઉપર વર્ણિત વિષમ પરિસ્થિતિમાંથી જેઓ બચી ગયા હતા તે સર્વ સંતે મગધદેશના પાટલીપુત્ર નગરમાં એકત્ર થયા. પરસ્પરની યાદદાસ્ત તાજી કરી અગિયાર અંગ સુધીના જ્ઞાનના આંકડા મેળવી લીધા; પણ બારમા દષ્ટિવાદ અંગને જ્ઞાતા કેઈ દેખાશે નહીં. એ વેળા સંપૂર્ણ ચૌદપૂર્વના જાણકાર શ્રી ભદ્રબાહુસ્વામી બાર વર્ષને એમ ધારણ કરી નેપાળ દેશમાં રહ્યા હતા. એ સંબંધમાં લંબાણથી વર્ણન તિથૈોગાલી પન્ના, આવશ્યક ચૂર્ણિ અને પરિશિષ્ટ પર્વ આદિમાં અપાયેલું છે. ટૂંકમાં એટલું જ કહેવાનું કે તેમની પાસે લગભગ પાંચસે શિષ્ય પૂર્વજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પાટલીપુત્રના શ્રમણ સંધમાંથી ગયા છતાં કાળના મહામ્યથી કહે કે અભ્યાસ કરવાની ક્ષીણ થતી શક્તિના કારણે કહો—ગમે તે કારણે—માત્ર એમાંથી એકલા થી સ્થૂલભદ્રમુનિ ટકી રહ્યા. તેમણે દેશ પૂર્વનું જ્ઞાન બરાબર પ્રાપ્ત કર્યું જ્યારે બાકીનાં ચારનું તે માત્ર ત્રથી જ અને તે પણ હવે પછી અન્યને ન ભણાવવાની આજ્ઞા પૂર્વક મેળવ્યું. એ સમયે ચૌદ પૂર્વવર શ્રી ભદ્રબાહુસ્વામી જે શબ્દ ઉચ્ચારે છે એ પરથી ભવિષ્ય કાળની વિષમતાની કંઈક ઝાંખી થાય છે? શટાળમંત્રી જેવા કુલીન કુળમાં જન્મ પામીને વિદ્યાસંપન્ન સ્થૂલભદ્ર જેવા ગંભીર ને વિનયશીલ પુરૂષ, કે જેણે કયા વેશ્યા સાથેની બાર વર્ષની ગાઢી પ્રીતને, સાપ કાંચળીને ત્યાગ કરી દે તેમ, ક્ષણવારમાં ત્યજી દીધી અને નંદરાજવીના મંત્રીપદની ઠકુરાઈને ઠોકર મારી કેવળ વિરકત ભાવે ભાગવતી દીક્ષા સ્વીકારી સંયમમાં શૌર્ય દાખવ્યું, અને જેને અન્ય જે ન મળે એવું પ્રેયસી કેશ્યાના આવાસમાં ષટ્રસ ભેજન લઈ ચાતુર્માસ કર્યું ને તેને શ્રાવિકા બનાવો–એવા પ્રભાવશાળી પણ શ્રતજ્ઞાનને દુરૂપયોગ કરવામાં તત્પર થઈ ગયા ત્યાં બીજા એછી શકિતશાળી મનુષ્યની શી વાત કરવી ? સમય બારીક આવી રહ્યો છે. માનવ સમુદાયની માનસિક શકિતઓને પ્રતિ સમય હાસ થઇ રહ્યો છે. ક્ષમતા ને ગંભીરતા નષ્ટ થતી ચાલી છે. એવા સમયે બાકીના પૂર્વેનું જ્ઞાન પ્રચલિત થાય એમાં મને શ્રેય નથી જણાતુ.” આ વચને માત્ર તે કાળ પુરતાં જ સાયાં હતાં એમ નહીં પણ આજે ૫ગુ તેટલાં જ સાચાં અને શ્રદ્ધેય છે. ગુચ્ચમ વિનાનું અને અધિકાર વિહુનું જ્ઞાન બરાબર પચતું નથી જ, ઉલટું અધુરા ઘડાની જેમ છલકાઈ જઈ વિનાશ નોતરે છે, (૨) માથુરી વાચના–આ વાચના શ્રી વીર નિર્વાણુ સમયથી સં૦ ૮૨૭ થી ૮૪૦ સુધીના ગાળામાં થયાનું મંતવ્ય મનિશ્રી કલ્યાણવિજયાતું છે. એ સંબંધમાં વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy