________________
અંક ૧-૨]
ગુરૂ-પરંપરા
[૫૫]
સંધ ઉપર મહાન ઉપકારારી શ્રી ભદ્રાહુસ્વામી ૭૫ વર્ષની ઉંમરે વીર નિ. સં૦ ૧૭૦ માં કુમારગિરિ પર્વત ઉપર સ્વર્ગે ગયા. તેમણે ૪૫ વર્ષની વયે દીક્ષા લઈ, ૧૭ વર્ષ સુધી ગુરૂસેવા કરી ૧૪ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યુ હતું. તેમના વખતમાં જિનશાસનનું મહત્ત્વ વધારનારે એક પ્રસંગ બન્યો હતો તે આ પ્રમાણે છે :
પોતાના ગુરૂભાઈ શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય થુલીભદ્રજી તેમની પાસે 'પૂર્વજ્ઞાનને અભ્યાસ કરવા ઇચ્છતા હતા. પણ ભદ્રબાહુસ્વામી તે વખતે નેપાલમાં ધ્યાનમાં રહેતા હોવાથી તેમને વાચા આપવાને અવકાશ ન હતું. શ્રીસ ઘને આ વાતની જાણ થતાં તેણે બે ગીતાર્યો દ્વારા તેમને કહેવરાવ્યું કે “આપ સાધુઓને વાચના આપો.' પ્રથમ તે ભદ્રબાહુએ ના પાડી. આથી ફરી શ્રીસંઘે તેમને પૂછો કે “ સંધની આજ્ઞા ન માને તેને શું પ્રાયશ્ચિત આવે ?” સજીિ સંઘની મહત્તા સમજતા હતા એટલે તેઓ તરત જ સમજી ગયા અને અમુક અમુક સમયે પાંચસો સાધુઓને વાચા આપવાનું સ્વીકયુ . શ્રીસધનું કેટલું મકવ છે તે આ પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાય છે તેએ અતકેવલી અને સંપૂર્ણ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા.
દિગંબર માન્યતાનો જવાબ–ભદ્રબાહુવામી માટે દિગંબર ગ્રંથમાં તેમના વખતે શ્વેતાંબર દિગબરના ભેદ પડય; મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત તેમની પાસે દીક્ષા લીધી વગેરે વાતે મળે છે. પરંતુ વીર નિ સં૦ ૧૭૦ માં ચદ્રગુપ્ત રાજા હતું જ નહી. વળી ભદ્રબાહુ સ્વામી પિતાના સ્વર્ગ "મન વખતે દક્ષિણમાં ગયા જ નથી. આ રહ્યાં એ સંબંધી દિગબર વિદ્વાનનાં મતે :
૧. શ્રવણબેલગતના ચંદ્રગિરિ પર્વતમાંના એક શિલાલેખમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને ઉલ્લેખ છે. આ લેખ શક સં૦ ૫૭૨ આસપાસને હોવાનું અનુમાન છે. આ ઉપરથી એટલે નિર્ણય થાય છે કે વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં દિગંબરામાં એ માન્યતા હતી કે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ભદ્રબાહુ પાસે દીક્ષા લીધી હતી. પણ એ લેખમાં ભદ્રબાહુને તે તે તકેલી લખ્યા છે કે ન તે ચંદ્રગુપ્ત મૌર્ય લખે છે.
૨. હરિયુકૃત ‘બતથા કાશમાં મળે છે કે ઉજજયિતોના રાજા ચંદ્રગુપતે ભદ્ર - બાહુ પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે પાટલીપુત્રના મર્યા ચંદ્રગુપ્ત દીક્ષા નહોતી લીધી, કિન્તુ ઉજજયનીના ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી. અર્થાત આ ચંદ્રગુપ્ત પણું અનુદે અને ભદ્રબાહુ પણ જુદા. વળી આ ગ્રંથ રાંક નં ૦ ૫૩ ને બને છે એટલે પ્રાચીન પણ ન ગણાય,
૩, પાર્શ્વનાથ વસતીમાં શક સંજે પર૨ ની આસપાસ એક શિલાલેખ મળે છે, તેમાં સાફ લખ્યું છે કે, “ બતકેવલી ભદ્રબાહુસ્વામીની પરંપરામાં થયેલ નિમિત્તતા ભદ્રબાહુએ દુકાલ સંબધી ભવિષ્યવાણી કરી.” અર્થાત્ આ નિમિત્તવેત્તા ભદ્રબાહુ જુદા અને મૃતકેવલી ભદ્રબાહુ જુદા સમજવા.
૪. ભારક રનનદીકૃત “ભદ્રબાહુ ચરિત્ર” જે ૧૬ મા સેકાના પ્રારંભનું છે, તેમાં તે ચંદ્રગુપ્તને અવન્તિ દેશને જીતનાર અને ઉજજયિનીના રાજા તરીકે સંબોધે છે. અર્થાત્ જેણે દીક્ષા લીધી હતી તે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત ન હતા.
www.jainelibrary
For Private & Personal Use Only
lain Fducation International