SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧૦-૧૧) શ્રી નમસ્કાર મહામંત્ર-મહાભ્ય [૫૯] આવા પરમ ઉપકારી ઉપાધ્યાય ભગવાનને કરેલા નમસ્કાર હજારે ભવથી મુક્ત કરાવે છે, બેધી બીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે, અને પરમ મંગળરૂપ છે. એ ઉપાધ્યાય ભગવાનને મારે વારંવાર નમસ્કાર હે. હવે પાંચમા સાધુ મહારાજ વિષે વ્યાખ્યા વિચારીએ “સાધુ” શબ્દના અર્થ પણ વિવિધ રીતિએ કરવામાં આવે છે, (૧) જ્ઞાનાદિ શકિતઓ વડે મોક્ષને જે સાધે છે તે સાધુ કહેવાય. સામાન્ય રીતે ઇચ્છિત અર્થને જે સાધે તે “સાધુ” એમ સમજાય. પણ અહિં આપણે તે ભાવ સાધુ સંબંધી જ વ્યાખ્યા વિચારવાની છે, અને તેઓને ઈચ્છિત અર્થ મેક્ષ સિવાય બીજો હેઈ શકે જ નહિ, અને તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ શકિતઓથી જ પ્રાપ્ત થાય તેમ છે, તેથી સાધુ' શબ્દને અર્થ અહિં તે મુજબ કરવામાં આવે છે. (૨) એકાક્ષરી નિર્યુક્તિથી પણ એને અર્થ એ જ પ્રમાણે આવી શકે છે. તે “સાધુ” શબ્દમાં જે બે અક્ષર રહેલા છે તેનો અર્થ કરતાં જણાવવામાં આવે છે કે “સ' અક્ષરથી નિર્વાણ સાધક પગોને (એટલે સમ્યગ દર્શનાદિ ઉત્તમ વ્યાપારને) જે સાધે, અથવા સંયમ કરનારને સહાય આપે છે, એમ સમજવું; અને “ધ” અક્ષરથી સર્વ પ્રાણી માત્રમાં જે સમભાવનું સમપણાનું ધ્યાન કરે છે, એમ સમજવું. એટલે ભાવાર્થ એ નીકળે કે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રના વ્યાપારમાં સદા કાળ જેઓ મચી રહેલા છે અને પ્રાણી માત્રને સમભાવથી માઈ રહેલા છે એટલે કોઈના ઉપર રાગ કે દ્વેષની પરિણતિ જેઓને થતી નથી તેઓ “સાધુ” કહેવાય. આવા સાધુ ભગવંતે વિષય સુખથી પાછા પડી ગયા છે, વિશુદ્ધ ચારિત્રરૂપી નિયમથી યુક્ત છે, અને વાસ્તવિક ગુણોને સાધનાર હોઈ સદા આત્મકાર્યમાં ઉજમાળ હેય છે, એટલું જ નહિ પણ તેઓ પરમાર્થ સાધનની પ્રવૃત્તિમાં મચેલા અને સંયમ પાળનારા અન્ય સાધુઓને અસહાયપણુમાં સહાય આપવામાં સદા તત્પર હોય છે, તેથી તેઓ નમસ્કાર કરવાને યોગ્ય છે. આ પાંચમાં પદમાં પ્રથમના ચાર પદો કરતા આપણે કાંઈ વિશેષ શબ્દો જોઈએ છીએ. એ પદમાં “નમો સ્ત્રો સાથ સાદુળ” એ શબ્દો હોવાથી બીજા પદેના કરતાં એ અને “સલ્વ' એ બે શબ્દો વધારે આપણું જોવામાં આવે છે. એ શબ્દ આ પદમાં વધારે મૂકવાનું કારણ પણ આપણે સમજી લેવું જોઈએ. સાધુ અનેક પ્રકારના હોય છે જેમકે () સર્વવિરતિ પ્રમત્તાદિ, પુલાકાદિક, જિન પિક. પ્રતિમાકલ્પિક, યથાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, સ્વિતાસ્થિતકલ્પિક, તથા કલ્પાતીત; (૪) પ્રત્યેક બુદ્ધિ, સ્વયં બુદ્ધિ, બુધિત આવા અનેક ભેદ હોય છે. ક્ષેત્રથી ભારતાદિ “દવાળા હેય, કાળથી સુષમ, દુધમાદિકાળ ભેટવાળા હોય, તે સર્વ ગુણવાની અવિષે નીયતા પ્રતિપાદન કરવા માટે “સર્વ' શબ્દ જોડે છે. અરિહંતાદિ પદોમાં એ શબ્દ નથી વપરાય છતાં પણ ઉપલક્ષણથી ત્યાં પણ એ સમજી લેવાનો છે. અથવા “સવ” શબ્દનો અર્થ બીજી રીતે પણ થઈ શકે છે. “સબ્ધ” શબ્દનું સંસ્કૃતમાં ૧ જુએ આ ગા. ૧૦૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy