SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૯ ] હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તે [૫૧] દેવીના વચનનું સ્મરણ કરતાં એ પાંચ વર્ષની વયના બાળક સાથે કોમળ વાણીથી વાર્તાલાપ કરે છે. (૨) શ્રી જૈન સંઘનું પ્રભુત્વ શ્રી મહાવીર પ્રભુએ સ્થાપન કરેલ શ્રી સંધ પ્રત્યેનું બહુમાન પણ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસમાં વિશિષ્ટ નિમિત્ત છે, તે આ પ્રમાણે– ઉપરના પ્રસંગ પછી બીજે જ દિવસે શ્રી દેવચંદ્રસૂરિજી શ્રી સંઘ સાથે પાહિણને ઘેર પધારે છે. શ્રી સંઘના આગમનથી પાહિણી પોતાને ધન્યભાગ્ય માનતી બહુમાન પૂર્વક આસનદાનાદિથી સૂરિજી તથા શ્રી સંઘને સત્કાર કરે છે. ચાંગદેવ પણ હર્ષપૂર્વક ગુરૂ મહારાજના અંકને વિભૂષિત કરે છે. કહ્યું છે કે भवन्ति भाविभावानां बालचेष्टा हि सूचकाः ।। પછી પાહિણું વિનયપૂર્વક આ પ્રમાણે કહે છે-“આપના આગમનથી આજ મારું ઘર પવિત્ર થયું છે. જો કે મારા પતિ જૈન નથી, તે પણ જો તેઓ ઘરે હેત તે સાગ્યે સ્વગૃહે પધારેલા શ્રી સંઘને ખૂબ સત્કાર કરત. આપ આપના આગમનનું કારણ ફરમાવે કે જેથી આપની આજ્ઞા શિરે ચઢાવી ભારે જન્મ કૃતાર્થ કરું.” ગુરૂ મહારાજ તેની આવી વાણીથી રંજિત થઈ કહે છે કે-“સમસ્ત સ્ત્રીઓમાં તમે રત્નતુલ્ય છે કે જેની કુક્ષિથી ચક્રવર્તિનાં લક્ષણયુક્ત અને કુળને ઉજજવલ કરનાર આ પુત્રને જન્મ થયે છે. આવાં લક્ષણથી યુકત પુત્ર જે રાજકુળમાં જન્મે તે મહાન રાજા થાય, વણિક કે બાહ્મણ કુળમાં જન્મે તે મહામાત્ય બને અને દીક્ષા ગ્રહણ કરે તે કલિકાળમાં પણ સત્ય યુગને પ્રવર્તાવે. માટે આ પુત્રની અમે માગણી કરીએ છીએ, કારણ કે ધજાનાર જાત્તે નારાયરિઝષારિખઃ | આ પ્રમાણેની દેવચંદ્રસૂરિજીની માંગણી સાંભળી પાહિણી વિચાર કરે છે કે“પતિની આજ્ઞા સિવાય હું શું કરી શકું ?' પાહિણીને આ વિચાર જાણુ શ્રી સંધ તરફથી કહેવામાં આવ્યું કે-“હાલ તે તમારા પુત્રને આપે અને શ્રી સંઘનું વચન રવીકારે, પછી તેના પિતાની જે ઈચ્છા હશે તે પ્રમાણે થશે.' શ્રી સંધની આ વાત માન્ય રાખી પાહિણીએ ચાંગદેવને પૂછયું કે “તું ગુરૂ મહારાજશ્રીની સાથે જઈશ?” ચાંગદેવે “”કાર પૂર્વક તે વાત સ્વીકારી એટલે પાહિણીએ ગુરૂ મહારાજને ચાંગદેવ સેપ્યો. આ રીતે શ્રી સંધ પ્રત્યેનું બહુમાન, અને શ્રી સંઘનું તે વખતનું વર્ચસ્વ શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષામાં બીજું વિશિષ્ટ કારણ બને છે. (૩) મહામાત્યની મુત્સદ્દીગીરી શ્રી હેમચન્દ્રાચાર્યની દીક્ષામાં મહામાત્યની બુદ્ધિ અને સહકાર એ ત્રીજુ વિશિષ્ટ કારણ કહેવાય, કારણ કે મહાનું કાર્યો મહાન શક્તિ અને મહાન બુદ્ધિની મદદથી જ Jain Education થાય છે. એ પ્રસંગ આ પ્રમાણે છેvate & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy