________________
(૪૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
=
ગુ. સિદ્ધરાજ જયસિંહદેવ અપુત્રીઓ મરણ પામ્યા એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરિપાળ) તેને પુત્ર ત્રિભુવનપાળ અને તેને પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના ભાગસર સુદી ૪ના દિવસે ગુજરાતને રાજા બન્યો. તેણે ૩૦ વર્ષ ૧ મહિને અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું, અને વિ. સં. ૧૨૨૯ના પિષ સુદી ૧૨ના દિવસે તેનું મૃત્યુ થયું. ગુ. કુમારપાળને મહિપાલ અને કીર્તિપાલ નામે બે ભાઈ હતા. ભેપાળદેવી અને દેવી નામે બે પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે બે બહેન હતી. દેવલદેવીનું લગ્ન શાકંભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મેઢારકના જાગીરદાર કૃષ્ણદેવ સાથે થયું હતું. એ કૃષ્ણદેવ-પ્રેમલદેવીને મહાબળભેજ નામે પુત્ર હતો. કુમારપાલને પુત્ર થયું નથી.
પિતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં તેને સફળતા મળી નહીં. આ વિકટ અવસ્થામાં ક સત્ર શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદાયન અને વાગભટ્ટ, તથા આલિંગ સજજન કુંભાર (સગરા), ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણુઓ અને
સિરિ બ્રાહ્મણે કુમારપાળને કિંમતી મદદ કરી હતી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારનો ગ્ય બદલ વાળી આપે છે, અને પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે.'
આ સિવાય રાજ્યપ્રાપ્તિ સમયે મઢારકના સ્વામી (કુમારપાળના બનેવી) કૃષ્ણદેવે પણ કુમારપાળને સહકાર આપ્યો હતો, પરંતુ તેનાં અપમાન ભય વચનથી ગુસ્સે થઈ કુમારપાળે તેને મારી નાંખ્યો હતો. સંભવ છે કે તેના પુત્ર મહાબળને યોગ્ય સત્કાર કર્યો હશે.
સં ૧૨૭૩ની શ્રીધરની દેવપત્તનવાળી પ્રશસ્તિમાં શોભના પુત્ર સચીવવલ્લે કુમારપાળને રાજ્યાભિષેકમાં સહાય કરવાનું સૂચન છે, કિન્તુ ગુરુ કુમારપાળે પિતાના ઉપકારીઓની નોંધમાં (યાદીમાં) તેને યાદ કર્યો હોય કે ઇનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળી શકતું નથી. શ્રી. ગે. હા. દેશાઈએ પણ તેની નેંધ લીધી નથી.
સામ્રાજ્ય-નિર્માણ ગુર્જરેશ્વર કુમારપાળે પિતાના શાસનના પૂર્વાર્ધ કાળમાં અનેક યુદ્ધ કર્યા છે. આ બધામાં શાકંભરીને અર્ણોરાજ સાથેનું યુદ્ધ બહુ જ મહત્ત્વનું લેખાય છે. સૈન્ય ફુટી જવાથી બીજાની સહાય વિના જ-પતે એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતે. આશરે સં. ૧૨૦૦માં એટલે રાજ્યાભિષેક પછી તુરતમાં જ આ યુદ્ધ થયું હતું અને તેમાં તેની મહારાજાધીશ્વર પદની યોગ્યતા સાબીત થઈ હતી. ત્યારપછી માળવાન કહેવાય છે. (પૃ. ૧૫૦) દુર્લભરાજ જેના મને પણ માનતે હોય એમ જણાય છે (૫ ૧૫૨) જનધમી ભીમને હું મારી બહેન નહી પરણાવું.” (પૃ. ૨૦૬)
બારમાં ગુજરાતી સાહિત્ય સમેલન (અમદાવાદમાં)માં ઈતિહાસ અને પુતરવ વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન પૃ ૧૧ માં ગુજરશ્વર મૂળરાજના યુવરાજ ચામુંડા વિ. સં. ૧૯૩૩માં વડસમાના જિનમંદિરની પૂજા માટે આપેલ મિદા
નના તામ્રપત્રનું સૂચન છે. Jain Education Internati . બ ને. હા. દેશાઈ કૃત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ પ. ૧૮૫ જુએ.
www.jainelibrary.org