SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : વાદની મહત્તા અને આવશ્યકતા વહે વ ગાયત્તે તરવUશિ એ સામાન્ય લેકોકિતમાં જરૂર સત્ય સમાયેલું છે. વિચારની નિર્ભિકતાથી નિખાલસતા પૂર્વક પરસ્પર આપ-લે કરવાથી યોગ્ય વિમર્શ થવા પૂર્વક સારા નરસાને વિવેક થઈ શકે છે. એટલે એ દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન થવામાં ઉપકારક એવા વાદની મહત્તા સૌ કોઈને એક સરખી રીતિએ સ્વીકાર્ય હેઈ શકે છે. મુજે મુજે નિર્મિન્ના એ ન્યાયે સિદ્ધાન્તભેદ કદાચ હોઈ શકે, મન્તવ્ય કે સિદ્ધાન્ત ભેદ પ્રામાણિક હેય તે તે ક્ષન્તવ્ય છે; અને એ પ્રામાણિક મતભેદના નિરાકરણ માટે જરૂર પરસ્પર નિખાલસતાથી વિચારોની આપ-લે થઈ શકે, યોગ્ય પરામર્શ થવા માટે એ આપ-લેની અતિ અગત્ય છે, અને આ વિશુદ્ધ હૃદયની આપ-લે એ વાદનું સાચું અને નિર્ભેળ સ્વરૂપ છે. સામાન્ય રીતિ જૈન જૈનેતર સંપ્રદાયને પ્રાચીન ઈતિહાસ એ વાતને સ્પષ્ટતાએ સ્વીકારે છે કે ભૂતકાળમાં બધા દર્શનકારે પરસ્પર પિતતાના સિદ્ધાન્તની આપ લે કરતા અને તત્ત્વપરામર્શ પૂર્વક અને જે સત્ય નિશ્ચિત થતું તેને ઋજુભાવે સ્વીકારવાને તૈયાર રહેતા. એકન્દરે પૂર્વના ભૂતકાળની એ સામાન્ય પરિસ્થિતિ હતી કે વાદના સીધા અને સાદા સ્વરૂપથી પરિચિત તત્ત્વગષકે વાદથી લાભ લેતા, તે સારા નરસાને વિવેક કરી શકતા. પણ આ પ્રસંગે એક વસ્તુ સ્પષ્ટ કરવી જોઈએ અને તે એ કે જૈનદર્શન અને ઈતરદર્શન, એ બન્ને દર્શનની વાદ વિષયક પરિસ્થિતિમાં ખૂબ જ અન્તર છે. જૈનદર્શનમાં નિષ્પક્ષ ધર્મવાદને ખૂબ જ મહત્ત્વ મળ્યું છે, કારણ કે આપણે અત્યાર અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા તે રીતિયે આ દર્શનની તત્વવ્યવસ્થા તદ્દન નિષ્પક્ષ અને યુકિતયુકત તત્ત્વના સ્વીકારમાં આગ્રહ સેવે છે, જ્યારે ઈતર દર્શનકારે સ્વકીય મન્તવ્ય સામાના ગળામાં બલાતું વળગાડી દેવામાં પિતાનું ગૌરવ સમજે છે; આ પરિ સ્થિતિમાં નિષ્પક્ષવાદને જૈનદર્શન જ મહત્ત્વનું સ્થાન આપે છે એમ કહેવામાં વેશ પણ અતિશયોકિત નથી. વાદપ્રત્યે આટલે અણગમે કેમ? જેમ તત્વનેષકે માટે વાદ એ જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, અને તેથી તે વર્ગને વાદ પર આદરભાવ થવો સંભાવ્ય છે; તેમ બીજી દુઃખદ પરિસ્થિતિ એ ઉભી થવા પામી છે કે સામાન્ય જનસમુદાયની મનોવૃત્તિ હેજે વાદ પરત્વે અરૂચિ થા ઉપેક્ષાભાવ દાખવતી નજરે પડે છે. એટલે એ શંકા થાય છે કે વાદ જેવી તત્ત્વજ્ઞાન માટે અનિવાર્ય ગણાતી મૂલ્યવાન વસ્તુ પર વર્તમાનમાં આટલી અરૂચિ કેમ? આ પ્રશ્ન કાંઈક અટપટ છે; છતાંયે એના નિર્ણયની અત્યારે એટલે વાદની મહત્તાને સમજવા માટે ખાસ જરૂર છે. અને તેથી વાદ માટેની જન સમાજની આ અરૂચિના મૂળ નિદાનને જાણી લેવું એ ખૂબ જરૂરી છે. એ કહેવું જોઈએ કે જગતના અન્ય વ્યવહારમાં જેમ સર્વ સાધારણ રીતિએ બનતું આવ્યું છે તેમ વાદને વિષે પણ તેવું જ બનવા પામ્યું છે. અને તે એ કે વાદમાં પણ સાચાં અને જુઠાં તત્ત્વનું મિશ્રણ ખૂબ વધતું ચાલ્યું છે. વાદનું સીધું Celibrary.org Jain Education International For Private Personal use only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy